મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફુલસિંહ બરૈયાએ પોતાની દિકરીના લગ્નનું કાર્ડ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ દિકરીના લગ્નની અનોખા અંદાજમાં બનાવી કંકોત્રી
લગ્નના કાર્ડની ચારેકોર થઈ રહી છે ચર્ચા
લગ્નના કાર્ડમાં સંવિધાનને બચાવવાનો આપ્યો મેસેજ
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફુલસિંહ બરૈયાએ પોતાની દિકરીના લગ્નનું કાર્ડ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયું છે. કોંગ્રેસ નેતાએ લગ્નના કાર્ડ પર ભારતીય સંવિધાનને બચાવવા માટેનો મેસેજ આપ્યો છે. એટલું જ નહીં 11 એપ્રિલે થનારા આ લગ્નમાં મહેમાનોને પણ એક એક સંવિધાનની કોપી ભેટમાં આપવામાં આવશે. જેથી લોકોને સંવિધાન બચાવવા માટે પ્રેરણા આપી શકાય.
લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ
પોતાના લગ્નને સ્પેશિયલ અને યાદગાર બનાવવા માટે લોકો અલગ અલગ રીત અપનાવતા હોય છે. કોઈ જયમાલા સ્ટેજ પર ધમાકેદાર એન્ટ્રી તો, કોઈ હેલીકોપ્ટરમાં પોતાની દુલ્હનને લઈ જતાં હોય છે. જો કે એક નવો ટ્રેંડ લગ્નનું કાર્ડ અલગ અંદાજમાં છપાવાનું પણ ચાલી રહ્યું છે. આ જ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફુલસિંહ બરૈયાની દિકરીનું લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ભારતીય સંવિધાનને બચાવવાનો મેસેજ
હકીકતમાં જોઈએ તો, પૂર્વ ધારાસભ્યએ પોતાના દિકરીના લગ્નના કાર્ડ પર ભારતીય સંવિધાનને બચાવવા માટેનો મેસેજ આપ્યો છે. કાર્ડ પર લખ્યુ છે કે, ભારતના 140 કરોડ નાગરિકોના હક, અધિકારને બચાવાનું છે. ત્યારે જ ભારત બચશે. પૂર્વ ધારાસભ્ય અનુસાર કાર્ડને આ અંદાજમાં છપાવવા પાછળનો ઉદ્દેશ્ય તમામ લોકોને સંવિધાન બચાવવા માટે પ્રેરણા આપવાનો છે. તેમણે સંવિધાનની લગભગ 400 કોપી છપાવી છે. જે મહેમાનોને ગિફ્ટ આપવામાં આવશે.
કમલનાથ અને દિગ્વિજય સિંહ હાજર રહી શકે છે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફુલસિંહ બરૈયાની દિકરીના લગ્ન 11 એપ્રિલે ગ્વાલિયરમાં છે. કહેવાય છે કે, આ લગ્નમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સાથે સાથે કમલનાથ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ સામેલ રહી શકે છે. આપને જણાવી દઈએ કે, ફુલસિંહ બરૈયાની દલિત વર્ગમાં સારી એવી પકડ છે અને ખૂબ જાણીતું નામ છે.