વરસાદની સીઝનની શરૂાત થઈ ગઈ છે ત્યારે તમને સતત ડર રહે છે કે તમારો સ્માર્ટફોન ક્યાંક ભીનો ન થઈ જાય અને ખરાબ ન થઈ જાય. ફોન પલળે નહીં તે માટે તમે અનેક ઉપાયો કરતા રહો છો અને અસફળ રહો છો. ફોન પલળવાની બીક એટલા માટે લાગે છે કારણકે તે ખરાબ થઈ જાય છે. જો તમારો ફોન પણ વરસાદમાં પલળી જાય તો કેટલીક નાની ચીજોનું ધ્યાન રાખીને તમે તેને ખરાબ થવાથી બચાવી શકો છો.
વરસાદમાં કામની છે આ ટિપ્સ
પલળી ગયા બાદ પણ સ્માર્ટફોન નહીં થાય ખરાબ
આ ટિપ્સ અપનાવવાથી સ્માર્ટફોન ખરાબ થવાથી બચશે
મોબાઈલ ફોન પલળી જાય તો તેને સ્વીચ ઓફ કરો અને ઉપરથી લૂસી લો. હવે તેની બેટરી બહાર કાઢી લો. હવે એક મુલાયમ કપડાંથી તેને અંદરથી સાફ કરો.
મોબાઈલનું સિમ કાર્ડ પણ બહાર કાઢો. જ્યાં સુધી મોબાઈલ અંદરથી સૂકાઈ ન જાય ત્યાં સુધી સિમ કાર્ડ ન નાંખો.
મોબાઈલને કોઈ પણ ગેજેટ્સથી કનેક્ટ કરો તો તેને તરત હટાવી દો.
જો સ્ક્રીન ગાર્ડ લગાવેલું હોય તો તેને હટાવી દો.
ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો. તેની ગરમ હવાથી તેની અંદરના પાર્ટ્સ ખરાબ થઈ શકે છે.
જ્યારે તમામ પાર્ટ્સને લૂસી લો તો થોડા સમય માટે ફોનને તડકામાં રાખો. તેનાથી તેમાં થોડું પાણી પણ હશે તો તે નિકળી જશે.
ભીના કે તરત સૂકવેલા ફોનને ચાર્જિંગ પર ન લગાવો. ફોન થોડો પણ ભીનો રહેશે તો કરંટ આવશે અને શોર્ટ સર્કિટ થઈ જશે.
24 કલાક સુધી ફોનમાં બેટરી ન લગાવો. જ્યારે તમને લાગે કે અંદરના તમામ પાર્ટ્સ સૂકાઈ ગયા છે ત્યારે બેટરી લગાવો.
જો આમ કરવાથી પણ તમારો ફોન સારો ન થાય તો તેને સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ અને ફોન પાણીમાં પડવાની વાતને છૂપાવો નહીં. નહીં તો તેને સારો કરવામાં મુશ્કેલી થઈ શકે છે.