કોરોનાથી છુટકારો મેળવવા માટે દિલ્હીની હોસ્પિટલમાં રસીનું ત્રીજા ચરણનું પરિક્ષણ શરુ થઈ ગયું છે. એમ્સ ઉપરાંત જીટીબી હોસ્પિટલમાં લગભગ 4000 લોકોને રસીના ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી રસી પર આ પરિક્ષણ શરુ કર્યુ છે.
જીટીબી હોસ્પિટલમાં લગભગ 4000 લોકોને રસીના ડોઝ આપવામાં આવશે
ત્રીજા ચરણના પરિક્ષણની જવાબદારી હોસ્પિટલોને પણ સોંપવામાં આવી
વધું મોત સફદરજંગ, આરએમએલ અને જીટીબી હોસ્પિટલમાં થયા
કોઈ પણ પ્રકારની આડ અસરથી બચી શકાય
એમ્સના વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે ત્રીજા ચરણ અંતર્ગત ડોઝ આપવાનું શરુ કર્યુ છે. આ ચરણમાં સ્વસ્થ લોકોની સાથે ડાયબિટીશ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય, કિડની અને લિવરના રોગોથી ગ્રસ્ત દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છેલ્લા તબક્કાને કારણે રસીનું બહું પરિક્ષણ કરવામાં આવશે. જેથી બજારોમાં રસી ઉપલબ્ધ હોવા પર કોઈ પણ પ્રકારની આડ અસરથી બચી શકાય.
ત્રીજા ચરણના પરિક્ષણની જવાબદારી હોસ્પિટલોને પણ સોંપવામાં આવી
જીટીબી હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટરના જણાવ્યાનુંસાર તેમના ત્યાં 2થી 3 દિવસમાં રસીના ડોઝ આપવાનું શુરુ કરી દેવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં પહેલા અને બીજા ચરણનું પરિક્ષણ દિલ્હી એમ્સમાં કરવામાં આવ્યું હતું. પરંતુ ત્રીજા ચરણના પરિક્ષણની જવાબદારી હોસ્પિટલોને પણ સોંપવામાં આવી છે.
વધું મોત સફદરજંગ, આરએમએલ અને જીટીબી હોસ્પિટલમાં થયા છે
જીટીબીમાં અત્યાર સુધી સેંકડો કોરોનાગ્રસ્તને સ્વસ્થ્ય જાહેર કરાઈ ચૂક્યાછે. પરંતુ કોરનાના દર્દીઓનો મૃત્યુદર વધારે છે. થોડાક સમય પહેલા દિલ્હી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયોની વચ્ચે થયેલી બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ના ડિરેક્ટર ડો. સુજીત કુમાર સિંહે જણાવ્યું કે હોસ્પિટલોમાં ભરતી થયાના 72 કલાકમાં મોટા ભાગે મોત સફદરજંગ, આરએમએલ અને જીટીબી હોસ્પિટલમાં થઈ છે.