ગુજરાતમાં થવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણીનાં બીજાં ચરણનાં ઉમેદવારોએ પોતાનાં પર થયેલા ફોજદારી કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર કોંગ્રેસનાં 90 ઉમેદવારોમાંથી 29, AAPનાં 93 ઉમેદવારોમાંથી 29 અને ભાજપનાં 93 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારોએ પોતાના વિરૂદ્ધમાં ચાલી રહેલા ફોજદારી કેસોની માહિતી આપી છે.
વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારો સામે ચાલે છે કેસ
આશરે 30% ઉમેદવારો પર ફોજદારી કેસ
બીજાં ચરણનાં 163 ઉમેદવારોએ કર્યા છે ખુલાસા
ગુજરાત વિધાનસભામાં જીત મેળવવા માટે રાત દિવસ એક કરતી પાર્ટીઓનાં ઉમેદવારોએ પોતાના ખુલાસા કર્યાં છે. ગુજરાત ચૂંટણીમાં લડી રહેલાં આમ આદમી પાર્ટીએ ગુનાહિત ચહેરાઓને ટિકીટ આપવામાં સંકોચ કર્યો નથી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની રિપોર્ટ અનુસાર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અને AAP નાં 30% ઉમેદવારોની વિરૂદ્ધમાં ગુના નોંધાયા છે. ગુજરાત ઇલેક્શન વોચ અને એડીઆરનાં બીજાં ચરણનાં 93 ક્ષેત્રોમાં ચૂંટણી લડી રહેલા તમામ 833 ઉમેદવારોનાં એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
બીજાં ચરણનાં 163 ઉમેદવારોએ કર્યા છે ખુલાસા
93 ચૂંટણીનાં ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 19 વિધાનસભા સીટ રેડ એલર્ટ ચૂંટણી ક્ષેત્ર છે. જ્યાં 3 કે તેથી વધુ ઉમેદવારોએ પોતાના વિરૂદ્ધમાં થયેલ ગુનાહિત કેસોની ઘોષણા કરી છે. રિપોર્ટમાં લખાયું છે કે 5 ડિસેમ્બરનાં થનારી ચૂંટણીમાં 163 ઉમેદવારોએ પોતાના પર ચાલી રહેલા ફોજદારી કેસોની માહિતી આપી છે.
AAPનાં 29 ઉમેદવારો
આ વખતે 93માંથી 29 ઉમેદવારોએ ગંભીર ગુનાહિત કેસોની માહિતી આપી છે. જો કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 64 ઉમેદવારોએ આ ઘોષણા કરી હતી. પ્રમુખ દળોમાંથી કોંગ્રેસનાં 90 ઉમેદવારોમાંથી 29, આમ આદમી પાર્ટીનાં 93 ઉમેદવારોમાંથી 29 અને ભાજપનાં 93 ઉમેદવારોમાંથી 18 એ પોતાની સામે ચાલી રહેલા ગુનાહિત કેસોની માહિતી આપી છે.
આ ઉમેદવારોની સામે ચાલે છે ગંભીર ફોજદારી કેસો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસનાં 10, આમ આદમી પાર્ટીનાં 17 અને ભાજપનાં 14 ઉમેદવારોની સામે ગંભીર કેસો ચાલી રહેલા છે. આ સિવાય 9 ઉમેદવારો પર બળાત્કાર અને મહિલાઓ સંબંધિત અપરાધનાં કેસો ચાલી રહ્યાં છે. 2 ઉમેદવારોએ હત્યા સંબંધિત ગુનાની ઘોષણા કરી અને 8 એ હત્યાનાં પ્રયાસો સંબંધિત ગુનાની ઘોષણા કરી છે.
સુપ્રીમ કોર્ટનાં આદેશનો રાજનૈતિક દળો પર ન પડ્યો પ્રભાવ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં આદેશોનું ગુજરાત વિધાનસભાનાં બીજાં ચરણનાં ઉમેદવારોની પસંદગીમાં કોઇ પણ પ્રભાવ પડ્યો નથી. કારણકે ફરીથી લગભગ 20% ગુનાહિત મામલા વાળા ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે. પ્રમુખ પાર્ટીઓએ 19-33% ગુનાહિત કેસોમાં સંકળાયેલા ઉમેદવારોને ટિકીટ આપી છે.