સોમવતી અમાસના દિવસે જે માણસ પવિત્ર નદીઓમાં સ્નાન કરી દાન કરે છે, તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિ માટે પણ વ્રત પણ રાખે છે.
આ વખતે સોમવતી અમાસ ઘણી દ્રષ્ટિએ ખાસ
સોમવતી અમાસ પર બની રહ્યાં છે બે શુભ યોગ
પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય મળે છે
હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનુ વધુ મહત્વ
હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનુ વધુ મહત્વ છે. આ પર્વ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ આવે છે. આ વખતે સોમવતી અમાસ ઘણી દ્રષ્ટિએ ખાસ છે. આ વખતે આ સોમવારે છે. બીજુ કે આ દિવસે 2 શુભ યોગ પણ બની રહ્યાં છે. એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના બધા પાપ નષ્ટ થાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે પણ વ્રત રાખે છે.
તિથિ
સોમવતી અમાસે ભગવાન શિવ, માતા પાર્વતી અને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પિતૃઓને તર્પણ કરવુ જોઈએ. જેનાથી પિતૃ વધુ પ્રસન્ન થઇને આશીર્વાદ આપે છે. આ વખતે અમાસ તિથિ 19 ફેબ્રુઆરી રવિવારે સાંજે 4 વાગ્યાથી 18 મિનિટથી લઇને 20 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યેને 35 મિનિટ સુધી રહેશે. એવામાં ઉદયતિથિ મુજબ, 20 ફેબ્રુઆરીએ સોમવતી અમાસ મનાવવામાં આવશે.
શુભયોગ
આ વખતે સોમવતી અમાસના દિવસે બે શુભ યોગ બની રહ્યાં છે. 20 ફેબ્રુઆરીએ પરિઘ યોગ સવારે 11 વાગ્યેને 3 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ શિવ યોગની શરૂઆત થશે. આ દિવસે સવારે 6 વાગ્યેને 56 મિનિટથી લઇને 8 વાગ્યેને 20 મિનિટ સુધી અમૃત સર્વોત્તમ મુહૂર્ત છે. ત્યારબાદ સવારે 9 વાગ્યેને 45 મિનિટથી સવારે 11 વાગ્યેને 10 મિનિટ સુધી શુભ ઉત્તમ મુહૂર્ત રહેશે.