રંગોનો પર્વ હોળી-ધૂળેટી ચાલી રહ્યો છે એવામાં ડાકોરના ઠાકોરના દર્શને સાંળગપુર કષ્ટભંજન મંદિરે અને દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
આજે 5 લાખથી વધુ ભક્તો રણછોડરાયજી દર્શન કરશે
હોળી- ધૂળેટી પર્વ નિમિતે સાળંગપુરમાં મંદિર પરિસરમાં રંગોત્સવ
રંગોનો પર્વ હોળી-ધૂળેટી ચાલી રહ્યો છે એવામાં ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટયું છે. જણાવી દઈએ કે આજે વહેલી સવારે 4 વાગ્યે ડાકોર રણછોડરાયજીની ભવ્ય મંગળા આરતી કરાઇ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. જે બાદ રાજા રણછોડને વિશેષ પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું.
દ્વારકામાં પણ હોળીના પર્વ નિમિતે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર
— Dwarkadhish Temple Official (@DwarkaOfficial) March 7, 2023
હોળી પર્વ નિમિતે શામળાજી મંદીર
આજે 5 લાખથી વધુ ભક્તો રણછોડરાયજી દર્શન કરશે
હોળીના આ પર્વ પર વહેલી સવારેથી ભક્તોનો મંદિરમાં અવિરત પ્રવાહ ચાલુ છે. જણાવી દઈએ કે આજે મંદિરમાં ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે ધજા ચઢાવી હતી. હાલ ડાકોરમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ ફાગણ ઉત્સવ રહ્યો છે.ગઈ કાલે ડાકોરમાં હોલિકા દહનનો પર્વ મનાવવામાં આવ્યો હતો. આજે પડતર દિવસ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જો કે એવામાં પણ આજે 5 લાખથી વધુ ભક્તો રણછોડ ઠાકોરના દર્શન કરશે.
મંગળવારે સવારે 3:45એ ખૂલ્યા હતા મંદિરના કપાટ
ફાગણ સુદ પૂનમ 7 માર્ચને મંગળવારે સવારે 3:45 વાગે મંદિર ના કપાટ ખૂલ્યા હતા. સવારે 4:00 વાગે મંગળા આરતી થઈ હતી અને દર્શન 7:30 સુધી ખુલ્લા રહ્યા હતા. 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહ્યા હતા. હવે 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે. 2:30થી 3:00 સુધી દર્શન બંધ રહેશે. બપોરે 3:00થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 5:30થી 6:00 સુધી દર્શન બંધ રહેશે. 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે.
8 માર્ચ બુધવારે ડોલોત્સવનો ઉત્સવ ઉજવાશે
8 માર્ચને બુધવાર ડોલોત્સવનો ઉત્સવની ઉજવણી કરાશે. સવારે 5:00 વાગે મંદિર ખુલશે. સવારે 5:15 વાગે મંગળા આરતી થશે. 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.9:00 થી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે. 3:30થી 4:00 સુધી દર્શન ખુલ્લા રહેશે. 4:30થી 5:00 સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5:00 વાગે નિજ મંદિર ખુલશે. 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર ભગવાન પોઢી જશે
Darshan : 07-03-2023]
होली की हार्दिक शुभकामनाएं – Happy Holi
— Shri Hanuman Temple - Salangpur (@kashtbhanjandev) March 7, 2023
સાંળગપુર કષ્ટભંજન મંદિરે ભક્તોનું ઘોડાપૂર
સાથે જ સાંળગપુર કષ્ટભંજન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યો છે. હોળી- ધૂળેટી પર્વ નિમિતે સાળંગપુરમાં મંદિર પરિસરમાં રંગોત્સવ ઉજવાઇ રહ્યો છે અને મંદિર પરિસરમાં 10 પ્રકારના અલગ-અલગ રંગો ઉછાળાયા હતા. સાંળગપુર કષ્ટભંજન મંદિરે દાદાના ભક્તો પર 70થી 80 ફૂટ ઊંચા રંગો ઉછાળવામાં આવ્યા હતા. આ સાથે જ 5 હજાર કિલો રંગને એર પ્રેશર મશીનથી હવામાં ઊડાવવામાં આવ્યા હતા. રંગો ઉપરાંત 100 ફૂટ ઊંચે સુધી કંકુ પણ ઉછાળવામાં આવ્યું હતું અને એ સાથે રંગબેરંગી રંગોની સાથે ભક્તો પર ચોકલેટોનો વરસાદ પણ કરવાં આવ્યો હતો.