સોશિયલ મીડિયા માહિતી આપ-લે માટે પણ મહત્વનું માધ્યમ બન્યું છે. ત્યારે સોશિયલ મીડિયાથી કોઇપણ માહિતીને વાયુ વેગે વાયરલ થાય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી રીતે પણ કરવામાં આવે છે. કેટલાક ટીખળખોર દ્વારા ખોટા મેસેજ પણ ફેલવવામાં આવે છે. ત્યારે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 10,000માં તમને મળશે AC જાણો શું છે સત્ય...
સોશિયલ મીડિયામાં 10 હજારમાં એ.સી મળી રહ્યું હોવાનો મેસેજ વાયરલ થયો છે. જેને લઇને સોશિયલ મીડિયામાં આ મેસેજ ફેલાઇ રહ્યો છે. ત્યારે લોકો પણ આ એ.સી. ખરીદવા માટે ઉત્સુક બન્યા છે. PGVCLના નામે મેસેજ વાયરલ થતા લોકો એ.સી. ખરીદવા માટે PGVCLનો સંપર્ક કરી રહ્યા છે.
(સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ)
મહત્વનું છે કે, PGCVLના નામે એક મેસેજ વાયરલ થયો હતો. PGVCL દ્વારા રૂપિયા 10 હજારમાં 1.5 ટન એ.સી. વિતરણ કરવામાં આવશે. તેવો મેસેજ વાયરલ થયો હતો. ત્યારે PGVCL દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે કે આવા પ્રકારના વાયરલ મેસેજમાં કોઈ તથ્ય નથી. તેમજ મેસેજ વાયરલ થવા મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો મેસેજ વાયરલ કરનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આવી કોઇ યોજના અસ્તિત્વમાં નથીઃ PGVCL
PGVCL દ્વારા 17 જુલાઈથી રૂપિયા 10 હજારમાં એ.સી. વિતરણ કરવામાં આવશે તેવો મેસેજ વાયરલ થયો હતો. જેને લઈને તંત્ર દ્વારા હાલ આવા પ્રકારની કોઈ યોજના અસ્તિત્વમાં નહીં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
....આ પ્રકારના મેસેજ પર ધ્યાન ન આપવા વિનંતી
જોકે આ મામલે PGVCL દ્વારા પ્રેસ નોટ પણ બહાર પાડવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'સોશિયલ મીડિયામાં 10 હજારમાં PGVCL દ્વારા એ.સી. વિતરણ કરવામાં આવશે તેવો મેસેજ વાયરલ થયો છે. પરંતુ હકીકતમાં આ પ્રકારની કોઇ યોજના હાલ અસ્તિત્વમાં નથી. તેથી આ પ્રકારના મેસેજ પર ધ્યાન ન આપવા વિનંતી.'