PGVCLના MD વરૂણ બરનવાલેએ ધારાસભ્યો અને સાંસદોને નાના ઉધોગો અને નાના યુનિટો વીજ ચોરી કરતાં હોવાની પત્ર લખી જાણ કરી હતી.
PGVCL કંપનીમાં ઉત્પાદનના 10 ટકા વીજ ચોરી
1400 થી 1600 કરોડની વાર્ષિક થાય છે વીજ ચોરી
રોજની ડ્રાઈવમાં 6 કરોડની વીજ ચોરી પકડાય છે
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજચોરીનું પ્રમાણ વધ્યું હોવાનું અને આ ચોરીને અટકાવવા માટે PGVCLના MDએ એક પત્ર લખ્યો છે.. આ પત્ર ધારાસભ્યો અને સાંસદોને સંબોધીને લખ્યો છે.. વીજચોરી અટકાવવા માટે 66 નેતાઓને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ ચોરી અટકાવવામાં નેતાઓ તંત્રને મદદ રૂપ થાય
રોજની ડ્રાઈવમાં 100 કરોડની વીજ ચોરી પકડાય છે: PGVCLના MD વરૂણ
PGVCLના MD વરૂણ બરનવાલે આ વિશે VTV સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે લોકોને PGVCLની સ્થિતિ બાબતે ખાસ સમજણ નથી. એટલે મને એવો વિચાર આવ્યો કે સાચી હકીકત પહેલા જન પ્રતિનિધિને બતાવીએ જેનાથી મોટો ફેર પડે. પત્ર લખવા પાછળનો એક જ હેતુ હતો કે લોકો માહિતગાર થાય કે કંપનીને કેટલું નુકસાન થઈ રહ્યું છે. આ ખોટ જવાથી લોકોને પણ ઘણું નુકસાન છે. ઉદાહરણ આપતા કહ્યું હતું કે 1600 થઈ 1700 કરોડની વાર્ષિક ચોરી થઈ જાય છે.
જો વીજ ચોરી ન થાય તો લોકોનો આ મોટો પ્રશ્ન સોલ્વ થઈ જશે
જો તમામ રૂપિયા અમને વ્યવસ્થિત રીતે મળે તો અમે તેનો નેટવર્કમાં ઉપયોગ કરી શકીએ જેથી જે પાવર ક્વોલિટીનું મુશ્કેલી આવે છે ઓવર વૉલ્ટેજ અંદર વૉલેટેજની તે અમે આ રૂપિયા લગાડી ઠીક કરી શકીશું. જેથી આ બધી વસ્તુઓ જનપ્રતિનિધિ અને તેમના થકી લોકોને જાણકારી મળે અને ચોરી થતાં વિસ્તારમાં PGVCL કાર્યવાહી કરે તો ખબર પડે કે ચોરી થતી હતી એટલે કાર્યવાહી કરી.