દેશના લાખો પેન્શનરો માટે એક સારી સ્કીમ આવવાની છે. પેન્શન રેગ્યુલેટર PFRDA, નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ લઈને આવવાનુ છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
દેશના લાખો પેન્શનરો માટે આવી રહી છે શાનદાર સ્કીમ
PFRDA NPS હેઠળ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ લઈને આવશે
જેના આધારે યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે
PFRDA નિમણુંક કરશે સલાહકાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ સ્કીમને ડિઝાઈન કરવા માટે સલાહકારો માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કર્યુ છે એટલેકે સુચનો મંગાવ્યાં છે. અહીં જણાવવાનું કે, આ સ્કીમને પગલે ગયા વર્ષે PFRDAના અધ્યક્ષ સુપ્રતિમ દાસ બંદોપાધ્યાયે કહ્યું હતું કે આ અંગે પેન્શન ફંડ અને આંકડાકીય કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જેના આધારે યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. PFRDA કાયદા હેઠળ એક ન્યૂનતમ સુનિશ્ચિત રિટર્નની યોજના શરૂ કરવાની મંજૂરી છે. પેન્શન ફંડ યોજનાઓ હેઠળ મેનેજ કરવામાં આવી રહેલા ફંડને માર્કેટ સુધી પહોંચાડી શકાય છે. તેમાં કેટલાંક ઉતાર-ચઢાવ થાય છે. જેનું મુલ્યાંકન માર્કેટની સ્થિતિને જોઈને થાય છે.
સલાહકારોનું આ હશે કામ
PFRDAના RFP ડ્રાફ્ટ મુજબ, એનપીએસ હેઠળ ગેરંટીવાળી રિટર્નવાળી યોજના તૈયાર કરવા માટે સલાહકારની નિમણુંકથી PFRDA અને સર્વિસ પ્રોવાઈડરની વચ્ચે પ્રિન્સિપાલ-એજન્ટ સંબંધ ના બનવો જોઈએ. PFRDA એક્ટના નિર્દેશો મુજબ, NPSના સબ્સ્ક્રાઈભર એક એવી સ્કીમ પસંદ કરે, જે મિનિમમ એશ્યોર્ડ રિટર્ન આપે. આ પ્રકારની રેગ્યુલેટરની સાથે રજીસ્ટર્ડ પેન્શન ફંડ દ્વારા રજૂ કરવી પડશે. આ રીતે સલાહકારોનું કામ પેન્શન ફંડ દ્વારા વર્તમાન અને સંભવિત સબસ્ક્રાઈબર્સ માટે મિનિમમ એસ્યોર્ડ રિટર્ન યોજના તૈયાર કરવી પડશે.
કોણ લઈ શકે છે એનપીએસ?
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2004માં એનપીએસને આવશ્યક મુજબ લાગુ કર્યુ હતું. ત્યારબાદ દરેક રાજ્યોએ NPSને પોતાના કર્મચારીઓ માટે લીધુ હતું. વર્ષ 2009 બાદ આ યોજનાને ખાનગી સેક્ટરમાં કામ કરનારા લોકો માટે પણ ખોલી નાખ્યું. નિવૃત્તિ બાદ કર્મચારી NPSનો એક ભાગ કાઢી શકે છે. જ્યારે બાકી નિકળતી રકમથી રેગ્યુલર રકમ માટે એન્યુટી લઈ શકે છે. નેશનલ પેન્શન સ્કીમમાં 18 થી 60 વર્ષનું કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.