- Pfizer કંપનીએ ભારતમાં કોરોના વેક્સિનના ઉપયોગ માટેની અરજી પરત ખેંચી
- ત્રીજી ફેબ્રુઆરીએ જ કંપની અને ભારતની એક્સપર્ટ કમિટીની થઈ હતી બેઠક
- કંપનીએ કહ્યું ભવિષ્યમાં વધુ માહિતી સાથે ફરી મંજૂરી માંગવામાં આવશે
ફાઇઝર કંપનીનો મોટો નિર્ણય
અમેરિકાની કંપનીએ ભારતમાં કોરોના વાયરસની રસી માટે મંજૂરી માંગતી અરજી કરી હતી જેને હવે પાછી ખેંચી લેવામાં આવી છે. નોંધનીય છે કે આ કંપનીએ જર્મનીની BioNTech કંપની સાથે મળીને કોરોના વાયરસની રસીનો ડોઝ બનાવ્યો હતો.
હાલમાં થઈ હતી બેઠક
નોંધનીય છે કે કોરોના વાયરસની રસી મામલે કંપનીના અધિકારીઓ અને ભારતની ડ્રગ રેગ્યુલેટર વચ્ચે બેઠક કરવામાં આવી હતી અને તે બેઠક બાદ હવે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કએ ફાઇઝર એવી પહેલી કંપની હતી જેણે આ મંજૂરી માંગી હતી.
ફરીથી અરજી કરશે કંપની
વેક્સિન મુદ્દે થયેલી બેઠકમાં વધુ માહિતી માંગવામાં આવી હતી જે બાદ કંપનીએ અરજી જ પરત ખેંચી લીધી છે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યમાં વધુ માહિતી સાથે ફરીથી મંજૂરી માંગવામાં આવશે.
ભારતમાં ચાલી રહ્યું છે મહામારી સામે મહાઅભિયાન
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસ સામે રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં અંદાજે 50 લાખ લોકોને વાયરસની રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે અને કોરોના વાયરસનું સંક્રમણ પણ ધીમે ધીમે કંટ્રોલમાં આવી ગયું છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી વાયરસના દૈનિક નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાયરસને મ્હાત આપનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
શું કહ્યું કંપનીએ :
Pfizer withdraws application for emergency use of its COVID-19 vaccine in India, reports Reuters
In pursuance of the Emergency Use Authorisation of its Covid-19 vaccine, Pfizer participated in the Subject Expert Committee meeting of the Drug Regulatory Authority of India on February 3: Pfizer, Spokesperson https://t.co/eoqJWevQem
Pfizer will continue to engage with authority & resubmit its approval request with additional information as it becomes available in the near future: Pfizer, Spokesperson