કોરોના વેક્સીન બનાવતી કંપની ફાઈઝર અને બાયોએનટેકે જાહેરાત કરી છે કે તેઓ હવે પ્રેગન્ટ મહિલાઓ પર વેક્સીનનું ટ્રાયલ શરુ કરશે.
કોરોના વેક્સીન બનાવતી કંપનીની જાહેરાત
ફાઈઝર અને બાયોએનટેકે જાહેરાત કરી
પ્રેગન્ટ મહિલાઓ પર વેક્સીનનું ટ્રાયલ શરુ કરશે
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની સાથે જોડાયેલા શોધકર્તાઓએ કંપનીની જાહેરાત બાદના એક એઠવાડિયા બાદ જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે કોરોના વેક્સીન બનાવતી કંપનીઓને પ્રેગનન્ટ વોલેન્ટિયર પર વેક્સીનની સુરક્ષા અને તેની અસરની તપાસ માટે રિસર્ચ કરવાની જરૂર છે.
પ્રેગન્ટ મહિલાઓ પર વેક્સીનનું ટ્રાયલ થશે
પ્રેગનન્ટ મહિલાઓ પર કોરોના વેક્સીનની અસરને તપાસ કરવા માટે માનવ પરીક્ષણ થવાનું છે. ગુરુવારે દવા નિર્માતા કંપની ફાઈઝર અને બાયોએનટેકે આ બાબતે જાહેરાત કરી છે. આ માટે 4000 સ્વસઅથ વોલેન્ટિયરને સામેલ કરાશે. ફાઈઝરના ક્લીનિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડો. વિલિયમ ગ્રૂબરે કહ્યું કે માનવ પરીક્ષણના પરિણામ 2021ની ચોથા ત્રિમાસિકમાં આવી શકે છે.
પ્રેગનન્ટ મહિલાઓમાં બીમારીની ગંભીરતા દર વધારે
ફાઈઝરના ક્લીનિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડો. વિલિયમ ગ્રૂબરે કહ્યું કે કોરોનાથી પીડિત પ્રેગનન્ટ મહિલાઓમાં બીમારીની ગંભીરતા દર વધારે હોય છે. તેઓએ ગર્ભાવસ્થાની જટિલતા જેવા સમયે પહેલા જન્મ, સ્વસ્થ પ્રેગનન્ટ મહિલાઓની સરખામણીએ પણ વધારે કરવો પડે છે. માનવ પરીક્ષણમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, ચિલી, અર્જેન્ટિના, દ. આફ્રિકા, બ્રિટન અને સ્પેનની 18 કે તેનાથી વધારે ઉમંરની પ્રેગનન્ટ મહિલાઓ પર વેક્સીનની અસરકારકતાનો પ્રભાવ જોવાશે.
આ સમયે અપાશે પ્રેગનન્ટ મહિલાઓને કોરોના વેક્સીન
મહિલાઓને પ્રેગનન્સીના 23-24મા અઠવાડિયામાં વેક્સીનના 2 ડોઝ 21 દિવસ બાદ અપાશે. દવા કંપનીએ કહ્યું કે જન્મ આપવાના થોડા સમય બાદ પ્લેસેબો ગ્રૂપમાં સામેલ વોલેન્ટિયરને વાસ્તવિક વેક્સીન અપાશે. માનવ પરીક્ષણ સમયે પણ વળતર અપાશે. આ વેક્સીનનો ઉપયોગ કરનારી પ્રેગનન્ટ મહિલા અને બાળકોના સુધી વાયરસથી સુરક્ષા કરનારા એન્ટીબોડીઝ ટ્રાન્સફર કરે છે.
ફાઈઝર અને બાયોએનટેક વેક્સીનની અસર તપાસશે
દવા નિર્માતા કંપનીનું કહેવું છે કે પહેલા નક્કી કરવાની જરૂર છે કે વેક્સીન સામાન્ય રીતે સુરક્ષિત અને પ્રભાવી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનીએ તો મહામારીની વેક્સીનને માટે થનારા માનવ પરીક્ષણની શરૂઆતમાં પ્રેગનન્ટ મહિલાઓને સામેલ કરવાની વકાલત કરી. તેમનો તર્ક છે કે કામયાબ વેક્સીનના સામે આવ્યા બાદ મહિલાઓને લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર રહેશે નહીં. કંપનીએ કહ્યું કે વેક્સીનનું પરીક્ષણ એટલા માટે જરૂરી છે કે તેનાથી ખ્યાલ આવે કે વેક્સીન ભ્રૂણને નુકસાન ન કરે અને મિસ કેરેજનો ખતરો ન રહે. પશુઓ પરના પરીક્ષણમાં સાબિત થયું છે કે વેક્સીનથી આવો કોઈ ખતરો નથી.