EPFO દિવાળી પહેલા જ નાણાકીય વર્ષ 2020-21નું વ્યાજ આપવાની તૈયારી કરી રહ્યા છે.
કરોડો ખાતાધારકોને મળશે ભેટ
મોદી સરકાર આપશે ખાસ ભેટ
દિવાળી પહેલા PF એકાઉન્ટ હોલ્ડર્સને થશે ફાયદો
PFના કરોડો ખાતાધારકોને દિવાળી પહેલા તહેવારની ભેટ મળી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દિવાળી પહેલા જ નાણાકીય વર્ષ 2020-21નું વ્યાજ (PF interest) આપવાની તૈયારી કરી રહ્યા છે. મહત્વનું છે કે દિવાળી પહેલા જ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ અને મોંઘવારીમાં રાહત આપવામાં આવશે. EPFOના કેન્દ્રીય બોર્ડે વ્યાજ દરને પોતાની મંજૂરી આપી દીધી છે. હવે સંગઠને નાણામંત્રાલય પાસે મંજૂરી માંગી છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે મંત્રાલય પણ ટૂંક સમયમાં પોતાની મંજૂરી આપશે.
ગયા વર્ષે થઈ હતી વધુ આવક
EPFOના કેન્દ્રીય બોર્ડે આ વર્ષે માર્ચમાં નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજદરની ભલામણ કરી છે. ગયા વર્ષે નાણાકીય વર્ષમાં EPFOને 70,300 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેમાં પોતાની ઈક્વિટી રોકાણકારોનો ભોગ બચવાથી પ્રાપ્ત 4000 કરોડ રૂપિયા પણ શામેલ છે.
નાણા મંત્રાલય પાસે માંગી મંજૂરી
એક સરકારી સૂત્રોના હવાલે એ ખબર મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે સંગઠને નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજદકની સાથે વ્યાજની ચુકવણી કરવા માટે નાણામંત્રાલયે મંજૂરી માંગી છે. જ્યારે વ્યાજ પર નિર્ણય લેવામાં આવ્યો ત્યારે દરેક વસ્તુ પર વિચાર કરવામાં આવ્યો હતો. EPFO 8.5 ટકાના દરે વ્યાજની ચુકવણી કરવામાં સક્ષમ છે.