મોદી સરકારના નવા ગ્રાહક સુરક્ષા કાયદા 2019ના આધારે મિલાવટી કે નકલી ચીજો વેચવા માટે કડક નિયમો બનાવાયા છે. પેટ્રોલ પંપ સંચાલકો પર પણ કડકાઈથી નિયમો લાગૂ કરવાના આદેશ અપાયા છે.
પેટ્રોલ અને ડીઝલ ઓછું આપવા પર મંત્રાલય કડક
ગ્રાહક સુરક્ષાના નિયમોને બનાવાયા વધારે ખાસ
રદ્દ થઈ શકે છે પેટ્રોલ પંપનું લાયસન્સ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગ લાગી છે અને પેટ્રોલ પંપ સંચાલકોથી સામાન્ય લોકો પરેશાન છે. રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ છે અને સાથે ડીઝલની કિંમત 89 રૂપિયા થઈ છે. સંચાલકો દ્વારા વધારે વસૂલી કરવા કે ઓછું પેટ્રોલ વેટવાના કેસ પણ વધ્યા છે. સતત ફરિયાદ આવ્યા બાદ પેટ્રોલિયમ મંત્રાલય અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયને લઈને તેલ કંપનીઓએ કડક આદેશ જાહેર કર્યા છે. સંચાલકોના દ્વારા ઓછું પેટ્રોલ અને ડીઝલ વેચવા કે મિલાવટ કરીને વેચવા માટે આ નુકસાનીનો સોદો હોઈ શકે છે. જો ગ્રાહક તેની ફરિયાદ કરે છે તો કાયમ માટે પેટ્રોલ પંપનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે.
પેટ્રોલ પંપનું લાયસન્સ હવે હંમેશા માટે પણ થઈ શકે છે કેન્સલ
પેટ્રોલ પંપના સંચાલકોની મનમાનીની ફરિયાદ ગ્રાહકો કરે છે તો તરત જ કડક પગલા લેવામાં આવશે અને સાથે જ ફરિયાદના આધારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર થોડા દિવસો સુધી પ્રતિબંધ લગાવાશે. આ સાથે દંડ પણ લેવામાં આવશે. આ સાથે દેશમાં અનેક નવા ગ્રાહક સુરક્ષા કાયદાને લાગૂ કર્યા બાદ અને સાથે પેટ્રોલ ડીઝલની કાળાબજારીને રોકવા માટે પંપ સંચાલકો પર તરત કાર્યવાહી કરવાનું શક્ય છે અને તે પણ ભારે દંડ સાથે, આ કાયદાને કડક રીતે અમલ કરવાની કવાયત વધારે ઝડપી બની છે.
આ રીતે રદ્દ થઈ શકે છે પેટ્રોલ પંપનું લાયસન્સ
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપ પર મશીનોમાં ચિપ લગાવીને પેટ્રોલ અને ડીઝલની ઘટના મામલાના જોતા મોદી સરકારે ગયા વર્ષે કડક પગલા લીધા હતા. દેશના પેટ્રોલ પંપ પર હવે ચિપ લગાવીને સતત તેલ ચોરી કરવાનુ સંચાલકોને ભારે પડવાનું છે. 20 જુલાઈએ નવા ગ્રાહક સુરક્ષા કાયદા 2019ના લાગૂ થયા બાદ પેટ્રોલ પંપ સંચાલકો પર લગામ કસવાનું શરૂ કરવામાં આવ્યું છે.
નવા કાયદાની સાથે હવે મિલાવટી કે નકલી ઉત્પાદન કે વેચાણને માટેના નિયમો પણ કડક કરી દેવાયા છે. હવે ગ્રાહક ઓછું તેલ મળવાની ફરિયાદ કરે છે તો કોઈ સક્ષમ ન્યાયાલય દ્વારા દંડન જોગવાઈ છે. પહેલી વાર ન્યાયાલયમાં દોષ દેખાય તો પેટ્રોલ પંપ માલિકનું લાયસન્સ 2 વર્ષ માટે કેન્સલ કરવામાં આવે છે અને આ પછી ફરીથી ફરિયાદ આવે છે તો લાયસન્સ કાયમ માટે કેન્સલ કરી દેવામાં આવે છે.