લોકડાઉન પછી પણ પેટ્રોલ, ડિઝલ માટે ગ્રાહકો પર ભાર વધશે નહીં. સૂત્રોને મળતી જાણકારી મુજબ પેટ્રોલિયમ મંત્રાલયએ સરકારી કંપનીઓને કહ્યું છે વધતા ખર્ચને તેલની કિંમતોમાં હાલમાં જોવા મળેલા ઘટાડા સાથે એડજેસ્ટ કરો અને થોડો ભાગ ગ્રાહક પર નાંખો. પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓને આદેશ આપતાં કહ્યું છે કે તેઓ BS-VI પેટ્રોલ ડિઝલના વધારાના ખર્ચને ગ્રાહક પર ન નાંખે.
પેટ્રોલ મંત્રાલયે કહ્યું છે કે તેલ કંપનીઓ ખર્ચાનો સાવ થોડો જ ભાર ગ્રાહકો પાસેથી લે જેને તબક્કા પ્રમાણે ગ્રાહકો ઉપર પાસ કરવામાં આવશે.
37 દિવસથી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ફેરફાર નહીં
ખરેખર લોકડાઉનના કારણે ગ્રાહકો પર ભાર નહી વધારવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ લોકડાઉનમાં ડાયનેમિક પ્રાઇસિંગ રોકી રાખી છે. જેને લઇને 37 દિવસથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકડાઉન બાદ કંપનીઓ પર ડિમાન્ડ વધારવા દબાણ છે. જો કે મળતી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ફયૂલ ડિમાન્ડમાં 15 ટકા ઘટાડાનું અનુમાન છે.
ભારતમાં કેવી રીતે નક્કી થાય છે તેલની કિંમતો
તેલની કિંમતો બે મુખ્ય વસ્તુઓ પર નિર્ભર રહેતી હોય છે. એક આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને બીજી સરકારી ટેક્સ. ક્રૂડ ઓઇલના રેટ પર સરકારને કોઇ નિયંત્રણ નથી, મગર ટેક્સ સરકાર પોતાની રીતે ઘટાડી-વધારી શકે છે.
એટલે કે જરૂરિયાત પડવા પર સરકાર ટેક્સ ઓછો કરી વધેલા ભાવથી જનતાને આંશિક ફાયદો કરાવી શકે છે. પહેલા દેશમાં તેલ કંપનીઓ જાતે કિંમત નક્કી નહોતી કરતી, તેનો નિર્ણય સરકાર કરતી હતી. પરંતુ જૂન 2017થી સરકારે પેટ્રોલની કિંમતોને લઇને પોતાનું નિયંત્રણ હટાવી લીધુ. જેને લઇને કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિદિન ઉતાર-ચઢાવને ધ્યાનમાં લઇને કિંમતો નક્કી કરાશે.
આપણે જે કિંમત પર તેલ ખરીદીએ છીએ તેમાં અંદાજે 50 ટકાથી વધારે ટેક્સ હોય છે. જેમાં અંદાજે 35 ટકા એકસાઇઝ ડ્યૂટી અને 15 ટકા રાજ્યોનો વેટ અથવા સેલ્સ ટેક્સ. તેની સિવાય કસ્ટમ ડયૂટી હોય છે. આ સાથે ડીલર કમીશન પણ જોડે છે. તેલની બેઇઝ કિંમતમાં કાચા તેલની કિંમત, તેને શોધનાર રિફાઇનરીનો ખર્ચ સામેલ હોય છે. જેના કારણે ક્રૂડની કિંમત સીધી રીટેઇલની કિંમતોને પ્રભાવિત કરતી નથી.