પેટ્રોલના ભાવ વધવા મામલે પેટ્રોલિયમ મંત્રી હરદિપસિંહ પુરીએ કહ્યું કે GSTમાં આવ્યા બાદજ પેટ્રોલના ભાવ ઘટશે. સાથેજ તેમણે કહ્યું રાજ્ય સરકારે વધારેલા ટેક્સને કારણે પેટ્રોલના ભાવ વધ્યા છે.
પેટ્રોલિયમ મંત્રીા હરદીપ સિંહ પુરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યા સુધી સરકાર પેટ્રોલને જીએસટીમાં નહી લાવે ત્યા સુધી પેટ્રોલના ભાવ ઘટવાના કોઈ આસાર નથી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ભારે ટેક્સ લગાવામાં આવ્યા છે. જેના કારણે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોચી ગયા છે.
અમેરિકામાં કાચ્ચા તેલનો ભંડાર ઘટ્યો
જોકે સમગ્ર મામલે એવી માહિતી પણ સામે આવી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચ્ચા તેલના ભાવ વધી ગયા છે. અમેરિકામાં પણ કાચ્ચા તેલની ઈન્વેન્ટરી ઘટી ગઈ છે. સરળ શબ્દોમાં કહીઓ તો અમેરિકામાં કાચ્ચા તેલનો ભંડાર ઘટીને 3 વર્ષ સુધીના નીચેના સ્તર પર જતો રહ્યો છે.
કેન્દ્ર સરકાર પહેલા પણ 32 રૂપિયા ટેક્સ લેતી હતી
બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચ્ચા તેલની માંગ વધી રહી છે. જેને લઈને અમેરિકન ડોલરમાં તેજી જોવા મળી રહી છે. માટે આવનારા દિવસમાં પેટ્રોલના ભાવ હજુ વધી શકે છે. પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહે સમગ્ર મામલે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 32 રૂપિયા ટેક્સ વસૂલે છે. કાચાતેલનો ભાવ 19 ડોલર પ્રતિ બેરલ હતો ત્યારે પણ આટલોજ ટેકસ રાખવામાં આવ્યો હતો.
હાલ કાચ્ચા તેલનો ભાવ 75 ડોલર પ્રતિ બેરલ
હાલમાં કાચ્ચા તેલનો ભાવ 75 ડોલર પ્રતિ બેરલ છે ત્યારે પણ ટેક્સ એજ રાખવામાં આવ્યો છે. વધુમાં તેમણે કે કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજના અંતર્ગત મફત રસોઈ ગેસ આપી રહી છે. તે સિવાય પણ ઘણી યોજનાઓ ખેડૂતો અને સામાન્ય માણસો સરકારે રાખી છે. તે મામલે પણ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદિપસિંહ પુરીએ નિવેદન આપ્યું.
GSTમાં આવ્યા બાદ પેટ્રોલનો ભાવ 75 રૂપિયા રહેશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પેટ્રોલિયમ મંત્રીએ એવુ કહ્યું કે જ્યારે પેટ્રોલને જીએસટીમાં લાવવામાં આવશે ત્યારે તેનો ભાવ 75 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે રાજ્ય સરકારો દ્વારા ટેક્સ વધારવામાં આવતા પેટ્રોલના ભાવ જેના કારણે હાલ પેટ્રોલના ભાવ 100 રૂપિયા આસપાસ પહોચી ગયા છે.