વેટ ઘટાડાની પીએમ મોદીની અપીલ બાદ ભડકી ઉઠેલી વિપક્ષી રાજ્ય સરકારોને કટાક્ષ કરતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એક મોટું નિવેદન આપ્યું છે.
વેટ ઘટાડા મામલે પીએમ મોદીની રાજ્યોને શીખામણ બાદ મામલો ગરમાયો
વિપક્ષી રાજ્યોની સરકારોએ કેન્દ્ર પર કર્યા પ્રહાર
પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનો કટાક્ષ
વિપક્ષી સરકારો દારુને બદલે ઈંધણ પરનો ટેક્સ ઘટાડે
બુધવારની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીની વેટ ઘટાડાની અપીલ બાદ વિપક્ષી રાજ્ય સરકારો ભડકી ઉઠી છે અને હવે વિપક્ષી સરકારોને જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એવો કટાક્ષ કર્યો કે જો વિપક્ષી રાજ્યોની સરકારો ઈમ્પોર્ટે લીકર (મોંઘા આયાતી દારુ) પર ટેક્સ ઘટાડવાને બદલે ફ્યુઅલ (ઈંધણ) પરનો ટેક્સ ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે અને લોકોને સસ્તા ઈંધણ મળી શકે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર 32.15 રુપિયા અને કોંગ્રેસ શાસિત રાજસ્થાન 29.10 રુપિયાનો ટેકસ કલેક્ટ કરે છે. ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પેટ્રોલ પર 14.51 રુપિયા અને યુપીમાં 16.50 રુપિયાનો ટેક્સ લેવાય છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવાથી તથ્યો છુપાઈ જતા નથી.
Petrol will be cheaper if opposition ruled states cut taxes on fuel instead of imported liquor! Maharashtra govt imposes ₹32.15/ltr on petrol & Congress ruled Rajasthan ₹29.10 But BJP ruled Uttarakhand levies only ₹14.51 & Uttar Pradesh ₹16.50
Protests cannot challenge facts!
પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હી વિમાની ઈંધણ પર સૌથી વધારે 25 ટકા ટેક્સ વસૂલે છે-પુરી
હરદીપ પુરીએ એવું પણ કહ્યું કે ક્યારેક વિચાર્યું છે કે એર ટિકિટની કિંમતમાં શા માટે ઘટાડો આવતો નથી. તેમણે કહ્યું કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એરલાઈન ઓપરેશન ખર્ચના લગભગ 40 ટકા જેટલો છે. પરંતુ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હી એટીએફ પર 25 ટકા કરતા પણ વધારે ટેક્સ વસૂલે છે જ્યારે ભાજપા શાસિત યુપી અને નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીર પ્રશાસન ફક્ત 1 ટકો વેટ વસૂલે છે.
Ever wondered why air ticket prices haven’t come down?
Aviation Turbine Fuel constitutes about 40% of the cost of airline operations.
But West Bengal, Maharashtra & Delhi impose massive 25%+ VAT on ATF while BJP states UP & Nagaland; & UT of J&K charge just 1%
પીએમ મોદીએ વિપક્ષી સરકારોને વેટ ઘટાડવાની કરી હતી અપીલ
દેશભરમાં કોરોનાની સ્થિતિ અંગે બુધવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વિપક્ષ શાસિત અનેક રાજ્યોમાં ઇંધણના ઊંચા ભાવોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને તેને અન્યાય ગણાવ્યો હતો અને સામાન્ય માણસને ફાયદો થાય તે હેતુથી રાજ્ય સરકારોને "રાષ્ટ્રીય હિતમાં" વેટ ઘટાડવાની તાકીદ કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની કેન્દ્ર સરકારે નવેમ્બરમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં, ઘણા રાજ્યોએ વેટ ઘટાડવાની તેમની વિનંતીને ધ્યાનમાં લીધી ન હતી, અને સહકારી સંઘવાદની મૂળભૂત ભાવનાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કટોકટીના સમયે રાજ્ય સરકારોને કામ કરવા વિનંતી કરી હતી. તેમણે આ સંદર્ભમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુનું નામ પણ લીધું હતું.
તેલંગાણામાં 2015થી પેટ્રોલના ભાવ વધ્યા નથી-કેસીઆર
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ ગુરુવારે કહ્યું હતું કે વડા પ્રધાને રાજ્યોને કર ઘટાડવાનું કહેતા "શરમ" અનુભવવી જોઈએ. તેમણે કહ્યું કે 2015 થી તેમના રાજ્યમાં ઈંધણ ટેક્સમાં કોઈ વધારો થયો નથી.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માટે રાજ્ય સરકારોને જવાબદાર ન ઠેરવી શકાય-ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માટે રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી શકાય નહીં. "આજે, મુંબઈમાં એક લિટર ડીઝલની કિંમતમાં, 24.38 રૂપિયા કેન્દ્રના છે, અને 22.37 રૂપિયા રાજ્યના છે ... એક લિટર પેટ્રોલની કિંમત 31.58 રૂપિયા કેન્દ્રીય કર છે, અને 32.55 રૂપિયા રાજ્ય કર ... તેથી તે સાચું છે કે રાજ્યને કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે.
મમતા બેનર્જીએ કહ્યું, "અમારે કેન્દ્ર પાસેથી 97,000 કરોડ રૂપિયા લેણા નીકળે છે. જે દિવસે અમને અડધી રકમ પણ મળી, બીજા દિવસે અમે પેટ્રોલ અને ડીઝલ પર 3000 કરોડ રૂપિયાની સબસિડી આપીશું... મને સબસિડી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ હું સરકાર કેવી રીતે ચલાવીશ.