ગુજરાતના નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં મંગળવારથી શરતોને આધીને છૂટછાટ મળી છે. કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ કરવામાં આવશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 પેસેન્જર બેસાડવામાં આવશે. તો સલામત સવારી એવી એસટી બસને પણ સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જોકે, અમદાવાદમાં એસટી બસને પ્રવેશ અપાશે નહીં. ત્યારે હવે રાજ્યમાં પેટ્રોલ પંપ અને ઉદ્યોગો શરૂ કરવા અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી પેટ્રોલપંપ ચાલુ રાખી શકાશે
સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે
આગામી 31 મે સુધી આ નિયમ લાગુ રહેશે
રાજ્યમાં સવારે 8થી 6 વાગ્યા સુધી પેટ્રોલપંપ ચાલુ રાખી શકાશે. રાજ્યમાં પેટ્રોલ પંપ ચાલુ રાખવા અંગે સરકારે આદેશ કર્યો છે જે મુજબ હવે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી પેટ્રોલપંપ ચાલુ રાખી શકાશે. તો સાથે સાથે ઉદ્યોગોને શરૂ કરવા પણ આદેશ કર્યો છે. ઉદ્યોગો પણ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. આગામી 31 મે સુધી આ નિયમ લાગુ રહેશે.
રાજ્યમાં ST બસની સેવાને લઇને મોટા સમાચાર
રાજ્ય સરકારની જાહેરાત બાદ ST નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બુધવારથી રાજ્યમાં ST બસ સેવા શરૂ થશે. કન્ટેઇનમેંટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં ST શરૂ થશે. 4 હજાર 827 રૂટો પર ST બસ સેવા શરૂ કરવામાં આવશે. 24 ડિવિઝન હેઠળ આવતા તમામ ST રૂટ શરૂ થશે. જોકે રૂટ શરૂ કરવા અંગેની જવાબદારી વિભાગીય નિયામકને સોંપાઇ છે.
નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં ટેક્સટાઇલ-ડાયમંડ ઉદ્યોગ શરૂ થશે
સુરત મનપામાં ડાયમંડ-ટેક્સટાઇલ અગ્રણીની બેઠક મળી હતી. જેમાં બુધવારથી નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ઉદ્યોગો થશે શરૂ. ઉદ્યોગો શરૂ કરવા ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરાઇ છે. SMC કમિશનર-અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેમાં નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં ટેક્સટાઇલ-ડાયમંડ ઉદ્યોગ શરૂ થશે. ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ઓડ-ઇવન પદ્ધતિથી શરૂ થશે. નિયમો-ગાઈડલાઈનના પાલન સાથે ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં ડાયમંડ ઓફિસ-ફેક્ટરી શરૂ કરાશે. આ માટે ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. આવતીકાલથી 50 ટકા સ્ટાફ સાથે ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવામાં આવશે. જેમાં સેનેટાઇઝ, થર્મલ સ્ક્રીનિંગ મશીન, માસ્કની સુવિધા આપવી પડશે.
બિગ બજાર, રિલાયન્સ સહિતના સ્ટોર ગ્રાહકો માટે ખોલી શકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની સ્ટોરને ગ્રાહકો માટે ચાલું કરવા શરતી મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ હવે શહેરમાં બિગ બજાર, રિલાયન્સના સ્ટોર ગ્રાહકો માટે ખોલી શકાશે. પરંતુ આ દરમિયાન સ્ટોરમાં માત્ર 5 ગ્રાહકોને જ એન્ટ્રી આપી શકાશે. સાથે સાથે સ્ટોરમાં કામ કરતા કર્મીઓને માસ્ક અને ગ્લોઝ પહેરવા ફરજિયાત છે. તો વેઇટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે. જો આ દરમિયાન કોઇ કાયદાનું ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.