પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને છે તેવામાં સમગ્ર દેશમાં પેટ્રોલની વધતી કિંમતોને લઇને દરરોજ હોબાળો મચી રહ્યો છે. ધરણા-પ્રદર્શન અને ભારત બંધ પણ કરવામાં આવ્યું પરંતુ કિંમતો ઘટવાનું નામ નથી લઇ રહી. આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે.
છેલ્લા 13 દિવસથી પેટ્રોલ-ડિઝલમાં જોવા મળતો ભાવ વધારો આજે પણ યથાવત છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે અને ડિઝલમાં 24 પૈસાનો વધારો નોંધાયો છે. છેલ્લા 13 દિવસેમાં પેટ્રોલમાં 2.75 રૂપિયા અને ડિઝલમાં 12 દિવસેમાં સાડા ત્રણ રૂપિયાનો વધરો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે રૂપિયા 80.49 પર પહોંચ્યો છે. તો ડિઝલનો ભાવ પ્રતિલીટરે 78.73 નોંધાયો છે.
પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે તેવામાં જો અમે તમને કહીએ કે જો તમે 100 રૂપિયાનું પેટ્રોલ પૂરાવશો તો તમને 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ કેવી રીતે મળશે 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.
100 રૂપિયાના પેટ્રોલ પર મળશે 40 રૂપિયાનું કેશબેક:
તમને જણાવી દઇએ કે આ ઑફર ઇન્ડિયન ઑઇલ તરફથી આપવામાં આવી રહી છે જો કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ પેટ્રોલ પંપ પર આ ઑફર આપવામાં આવી રહી છે. આ ઑફરનો લાભ લેવા માટે તમારે પેટ્રોલ માટે તમારે ફોન પે એપ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.
100 રૂપિયા કે તેથી વધુનું પેટ્રોલ ભરાવા પર તમને 40 રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેક 10 વખત પેટ્રોલ ભરાવા પર મળશે એટલે કે તમે 10 વખત પેટ્રોલ ભરાવશો તો મળશે. આ ઑફર 30 સપ્ટેમ્બર 2018 સુધી માન્ય છે. સાથે જ તે શરત પણ છે કે તમે એક દિવસમાં માત્ર એક જ વાર પેટ્રોલ ભરાવી શકો છો.
દેશ ભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત:
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે પણ ભડકો થયો છે. પેટ્રોલની કિંમતમાં 28 પૈસા અને ડિઝલની કિંમતમાં 22 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.25 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડિઝલની કિંમત 73.80 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમા પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.67 રૂપિયા પ્રતિલીટર ડિઝલ 77.82 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યુ છે.
દેશના અન્ય શહેરોમાં કોલકત્તા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો વધારો થવાના કારણે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થવાના કારણે દેશમાં મોંઘવારી બેકાબૂ થવાના એંધાણ છે.