પેટ્રોલ ડીઝલનાં ભાવ જનતાને ડામ આપી રહ્યા છે ત્યારે મોદી સરકારનાં મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
પેટ્રોલના ભાવ પર મોદી સરકાર એક્શનમાં આવી
પેટ્રોલિયમ મંત્રીએ દુનિયાનાં અનેક દેશોના સંપર્કમાં
જલ્દી જ રાહત માટેની કોઈ જાહેરાત થાય તેવી સંભવાના
પેટ્રોલનાં ભાવે પ્રજાનું તેલ કાઢી નાંખ્યું
ભારતમા છેલ્લા ઘણા સમયથી એક બાજુ મહામારી અને બીજી બાજુ મોંઘવારી મિડલ ક્લાસનું તેલ કાઢી રહી છે. મહામારીમાંથી તો જનતાને હાલ પૂરતી થોડીક ય રાહત મળી છે પરંતુ મોંઘવારી તો દિવસેને દિવસે વધી રહી છે. ભારતના કેટલાય એવા શહેર છે જ્યાં પેટ્રોલ 120 રૂપિયે લિટર મળી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલનાં વધતાં ભાવના કારણે જીવનજરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. એક બાજુ વિપક્ષ પણ આ મુદ્દે હુમલા કરી રહ્યું છે ત્યાં સત્તાધારી પાર્ટીના અમુક નેતાઓ કહી રહ્યા છે કે વેક્સિન ફ્રી આપવા માટે પેટ્રોલ ડિઝલના ભાવ વધાર્યા છે. જોકે ઈંધણનાં ભાવમાં જૉ હવે રાહત નહીં મળે તો આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચી શકે છે જેને જોતાં હવે સરકાર પણ ઈંધણના ભાવ ઘટાડવા માટે રણનીતિ પર કામ કરી રહી છે.
Delhi | I am talking to my counterparts in Saudi Arabia, Gulf countries and Russia...we are working at various levels: Union Petroleum Minister Hardeep Singh Puri on rising fuel prices pic.twitter.com/TGQQQIVGXu
હરદીપ પૂરીએ આપ્યું મોટું નિવેદન
દેશના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પૂરીએ મંગળવારે નિવેદન આપ્યું છે કે પેટ્રોલ ડીઝલનાં ભાવ મુદ્દે સાઉદી અરેબિયા, ગલ્ફ દેશો અને રશિયાનાં મંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યો છું. અનેક લેવલ પર તેના માટે કામ થઈ રહ્યું છે. બીજી તરફ ઓકટોબર મહિનામાં જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 20 વાર વધારો કરવામાં આવ્યો છે, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 107.59 રૂપિયા, શ્રીગંગાનગરમાં 119.79 રૂપિયા, જ્યારે અનૂપપુરમાં 119.08 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
સરકાર જલ્દી જ મોટી જાહેરાત કરી શકે છે
નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલને જૉ GST હેઠળ લાવી દેવામાં આવે તો પણ ભાવ ઘટાડો થઈ શકે તેમ છે. એવામાં સરકાર શું ટેક્સ ઘટાડશે કે પછી કોઈ બીજી રીતે પેટ્રોલ ડિઝલના ભાવ કંટ્રોલમાં લેશે તે જોવાનું રહ્યું.