રુસ-યુક્રેન જંગ વચ્ચે તેલની વધતી કિંમત રોકવા માટે સરકાર પોતાના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. જાણો વિગતવાર
ભારતમાં પેટ્રોલના ભાવ ઘટશે
સરકાર ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો કરશે ઉપયોગ
વઘતી કિંમતોને કાબુ કરવા સરકાર કરી શકે છે એલાન
રુસ-યુક્રેન જંગ વચ્ચે તેલની વધતી કિંમત રોકવા માટે ભારત સરકાર પોતાના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. રુસની યુક્રેન વિરુદ્ધ જંગ છેડવાથી વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. એક તરફ જ્યાં વૈશ્વિક શેર બજાર સતત ગિરાવટમાં છે ત્યારે, ક્રુડ ઓઈલની વધતી કિંમતો પણ થોભવાનું નામ જ નથી લઇ રહી. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર નજર રાખીને બેઠી છે.
ભારત કરી શકે છે એલાન
રુસ-યુક્રેન વચ્ચે સંભવિત સપ્લાઈમાં રુકાવટ પર પણ ભરત સરકારની નજર છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે ભારત સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રીઝર્વથી રિલીઝ માટે પહેલોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જથી બજારમાં ઉથલ-પુથલને ઘટાડી શકાય છે તથા કાચા તેલની કિંમતોમાં વધારાને પણ કાબુમાં કરી શકાય છે. જોકે હાલમાં મંત્રાલયે આ બાબતે તેની માત્રા ત૫થા સમય પર વિસ્તૃત જાણકારી આપી નથી.
ભારત પાસે છે રિઝર્વ ઓઈલ
જણાવી દઈએ કે આ સમયે ભારતના સ્ટ્રેટેજીક રિઝર્વમાં 5.33 મિલિયન તન કે 39 મિલિયન બેરલ રાખવાની ક્ષમતા છે, જે કોવીડ પહેલા વિત્ત વર્ષ 2020 ના ખપતની પેટર્ન અનુસાર આ 9.5 દિવસો માટે પર્યાપ્ત છે. ગુરુવારે કાચું તેલ 8 ટકાના ભારે વધારા સાથે 105 ડોલર પ્રતિ બેરલનાં આંકડાને પાર કરી ગયું હતું. આ વધારો રુસનાં યુક્રેન પર હુમલા બાદનો છે. પરંતુ આ ફરી 97 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો.
અમેરિકા જાહેર કરશે રિઝર્વ તેલ
અમેરિકાએ એ સમયમાં રીઝર્વ ઓઈલ જાહેર કરવાની વાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે કહ્યું હતું કે તે અમુક દેશો સાથે એસપીઆરથી રિલીઝ પર કામ કરી રહ્યા છે તથા જરૂર પડવા પર તેલના અતિરિક્ત બેરલ પણ જાહેર કરશે. ઈમરજન્સી રિઝર્વને રિલીઝ કરવાથી કિંમતો પર અસ્થાયી અસર પડે છે. પરંતુ કોઈપણ કિંમતમાં સરકારના આવા એલાનથી બજાર પર સારી અસર પડે છે. જો વર્તમાનની વાત કરીએ તો બજારમાં એક ડર જરૂર છે પરંતુ અત્યાર સુધી કોઈ ફિઝિકલ સપ્લાયમાં તકલીફો સામે આવવા માંડી.
ધ્યાન આપવાવાળી બાબત છે કે નવેમ્બરમાં અમેરિકા, ભારત, બ્રિટેન, જાપાન તથા અમુક બીજા દેશોએ સાથે મળીને કિંમતોને ઘટાડવા માટે પોતાના સ્ટ્રેટેજીક રીઝર્વ તેલ રિલીઝ કરવાનું એલાન કર્યું હતું.