પેટ્રોલ- ડીઝલની વધતી કિંમતોને લઇને સરકારે ઘણાં પગલાંઓ લીધાં છે. આ વધતી કિંમતો પર બ્રેક મારવા સરકારે વર્ષ 2023 સુધીમાં 20% એથેનોલ મિશ્રિત પેટ્રોલ સપ્લાયનો લક્ષ્ય રાખેલ છે જેના કારણે પેટ્રોલ- ડીઝલનાં ભાવો ઘટી શકે છે.
પેટ્રોલ- ડીઝલનાં ભાવમાં થશે ઘટાડો
20% એથેનોલ મિશ્રિત પેટ્રોલ સપ્લાયનો લક્ષ્ય
ઇમ્પોર્ટ ઘટતાં ઇંધણ થશે સસ્તું
નવી દિલ્લી: કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ બાબતે જાણકારી આપતાં જણાવ્યું કે આવનારાં વર્ષ એટલે કે 2023 સુધીમાં 20% એથેનોલ મિશ્રિત પેટ્રોલ સપ્લાયનો લક્ષ્ય રાખેલ છે જેના કારણે પેટ્રોલ- ડીઝલનાં ભાવો ઘટી શકે છે. આ પગલાંને લીધે ક્રૂડ ઓઇલની આયાત પર વાર્ષિક ચાર અરબ ડૉલરની બચત થશે.
હરદીપ સિંહ પુરીએ આપી માહિતી
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીએ કહ્યું કે અમે એથનોલ ઉત્પાદનની વારંવાર સમીક્ષા કરી રહ્યાં છીએ અને મારું માનવું છે કે 20% મિશ્રણવાળું ઇંધણ એપ્રિલ 2023 પહેલાં ડિસેમ્બર કે જાન્યુઆરીના બજારમાં આવી જશે. એટલે કે સસ્તું ઇંધણ નાગરિકો આ વર્ષનાં લગભગ અંત સુધી મેળવી શકશે.
2009માં બાયોપોલિસી કરી લાગૂ
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ 2009માં બાયોફ્યૂઅલ પર નેશનલ પોલિસી લાગૂ કરી હતી. પછીથી આ મિનિસ્ટ્રીએ 4 જૂન, 2018નાં તે પોલિસીના સ્થાન પર બાયોફ્યૂૉઅલ પર નેશનલ પોલિસી-2018ને નોટિફાઇ કરી. મોદી સરકાર આવનારાં 2 વર્ષોમાં પેટ્રોલમાં 20% એથેનોલ મિશ્રિત કરવાનો લક્ષ્ય રાખેલ છે. આ પગલાંથી ઇમ્પોર્ટમાં ઘણી રાહત મળશે.
બ્રાઝિલની જેમ વાહનમાં વપરાશે ફ્લેક્સ ઈંધણ
મંત્રીએ બ્રાઝિલના ઉદાહરણ સાથે કહ્યું કે ત્યાં એવા વાહન ઉપલબ્ધ છે જેમાં વ્યક્તિ પોતાની પસંદ અનુસાર ઈથેનોલ અથવા પેટ્રોલ નંખાવી શકે છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય પણ આ જ છે.
હજારો કરોડ રૂપિયાની બચત થશે
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ પાનીપતની રિફાઇનરીમાં 900 કરોડના ખર્ચે ઈથેનોલ સંયંત્ર બનાવવામાં આવ્યો છે. જેમાં ચોખા અને પરાળીની મદદથી ત્રણ કરોડ લિટર ઈથેનોલ પેદા થશે. પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી સાતથી આઠ વર્ષમાં ઈથેનોલ મિશ્ર કરવાથી દેશમાં 50 હજાર કરોડ રૂપિયાની બચત થશે.