દેશમાં એક તરફ કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસે એકવાર ફરી મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. પીએમ કેયર્સ ફંડ (PM Cares Fund) નું સરકારી ઓડિક કરવાની માગણી કર ચૂકેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે લોકડાઉન દરમિયાન ખેડૂતો અને ઉદ્યોગોને કોઇ મેદદ કરવામાં આવી રહી નથી, જેના કારણે નાના ઉદ્યોગોનો બંધ થવાનો ખતરો વધી રહ્યો છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડાનો લાભ જનતાને મળવો જોઇએ. પરંતુ ભાજપ સરકાર વારંવાર એકસાઇઝ ડ્યૂટી વધારી જનતાને મળનારા બધો ફાયદો પોતાની બેગમાં ભરી લે છે.
कच्चे तेल के दामों में भारी गिरावट का फायदा जनता को मिलना चाहिए। लेकिन भाजपा सरकार बार-बार एक्साइज ड्यूटी बढ़ाकर जनता को मिलने वाला सारा फायदा अपने सूटकेस में भर लेती है।
गिरावट का फायदा जनता को मिल नहीं रहा है और जो पैसा इकट्ठा हो रहा है उससे भी मजदूरों की, मध्यम वर्ग की..1/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 6, 2020
ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ઘટાડાનો ફાયદો જનતાનો મળી રહ્યો નથી. આ સાથે સરકારને થઇ રહેલા ફાયદામાંથી પણ તે રૂપિયાની મજદૂર, મધ્યવર્ગ, ખેડૂત કે નાના ઉદ્યોગકારોને મદદ કરવામાં આવી રહી નથી. તો સરકાર રૂપિયા કોના માટે ભેગી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ આ અગાઉ પ્રધાનમંત્રી કેયર્સ ફંડનું સરકારી ઓડિટ કરવાની માંગણી કરી હતી. પ્રિયંકાએ કહ્યું આ સંકટના સમયે પારદર્શિતા હોવી જરૂરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશમાંથી ભાગી ગયેલા ચોરોના માફ કરેલા 68,000 કરોડ રૂપિયાનો હિસાબ પણ થવો જોઇએ.
રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર સાધ્યું નિશાન
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પેટ્રોલ-ડિઝલની કિંમતો વધારવાને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે 'કોરોના વાયરસ સામેની લડાઇ આપણા કરોડો ભાઇ-બહેનો ગંભીર આર્થિક કઠણાઇનું કારણ બની ચુકી છે.
कोरोनावायरस से जारी लड़ाई हमारे करोड़ों भाइयों और बहनों के लिए गंभीर आर्थिक कठिनाई का कारण बन रही है। इस समय, कीमतें कम करने के बजाय, पेट्रोल और डीजल पर 10-13 ₹ प्रति लीटर कर बढ़ाने का सरकार का निर्णय अनुचित है और इसे वापस लिया जाना चाहिए। pic.twitter.com/yMvYHK12V4