નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્રની પાસે પેટ્રોલ- ડીઝલ અને વિમાનોના ઈંધણ(એટીએફ)ને જીએસટીમાં સામેલ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
આ કારણે જીએસટીના દાયરામાંથી બહાર છે આ વસ્તુઓ
પેટ્રોલ -ડીઝલને જીએસટીમાં સામેલ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી
રાજ્ય રસ દાખવે ત્યારે વાત બનશે- અનુરાગ ઠાકુર
પેટ્રોલ -ડીઝલને જીએસટીમાં સામેલ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી
ગત અઠવાડિયે સદનમાં પેટ્રોલ ડીઝલની કિંમતો પર હોબાળો થયા બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં જણાવ્યુ કે કેન્દ્રની પાસે પેટ્રોલ- ડીઝલ અને વિમાનોના ઈંધણ(એટીએફ)ને જીએસટીમાં સામેલ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
રાજ્ય રસ દાખવે ત્યારે વાત બનશે- અનુરાગ ઠાકુર
સરકારના સહયોગી જદુયએ કહ્યું કે કેન્દ્ર આ સંબંધમાં પ્રસ્તાવ લઈને આવશે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું રાજ્ય રસ દાખવે ત્યારે વાત બનશે. જોકે ગત મહિને નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે પેટ્રોલ તથા ડીઝલના વધતા ભાવને ત્યારે રાહત મળશે જ્યારે તેને જીએસટીમાં નાંખવામાં આવશે. પ્રશ્નકાળ દરમિયાન સૌથી પહેલા વાઈએસતાર કોંગ્રેસના પીવી મિથુન રેડ્ડીએ આ મામલાને ઉઠાવતા કહ્યુ કે પેટ્રો પદાર્થોની વધતી કિંમતોની મારથી લોકોએ બદવા માટે જીએસટીના દાયરામાં લાવવાની જરુર છે.
પરિષદ પાસે એવો કોઈ પ્રસ્તાવ નથી આવ્યો
સીતારમણે જણાવ્યુ કે કાયદા તરફતી જીએસટી પરિષદે એ જણાવવાનું રહેશે કે કઈ તારીખથી પેટ્રોલિયમ પદાર્થો, કાચા તેલ, પ્રાકૃતિક ગૈસ, એલપીજી, ડીઝલ તથા એટીએફને જીએસટીમાં સામેલ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ ત્યાં સુધી સરકારની પાસે પરિષદ પાસે એક એવો પ્રસ્તાવ નથી આવ્યો. જીએસટી પરિષદમાં કેન્દ્ર તથા રાજ્ય બન્ને પ્રતિનિધિ હોય છે અને અંતિમ નિર્ણય તેમને જ લેવાનો છે.
કિંમતોને લઈને એકબીજા સાથે વાત કરે કેન્દ્ર અને રાજ્ય
અનુરાગ ઠાકુરે કહ્યુ કે પેટ્રોલ તથા ડીઝલના વધતા ભાવથી જનતાને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજા સાથે વાત કરવી જોઈએ. આ માટે ટેક્સ ઘટાડવો પડશે અને આ વાતચીત શક્ય નથી. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોની જનતાના આ સંકટ પર પ્રયાસ કરવા પડશે. ઠાકુરે રાજ્યોને ટ્ક્સ ઘટાડવા માંગ કરી છે.
આ કારણે જીએસટીના દાયરામાંથી બહાર છે આ વસ્તુઓ
એક જુલાઈ 2017માં જ્યારે જીએસટી લાગૂ થઈ હતી તો કેન્દ્ર તથા રાજ્ય સરકારો પોતાના રાજસ્વને ધ્યાનમાં રાખીને કાચા તેલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફને જીએસટીના દાયરામાંથી બહાર રાખી છે. આના પર કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પોત પોતાને ત્યાં અલગ અલગ કરી શકે છે અન આવનારા પૈસા સરકારના તિજોરીમાં જાય છે. નિર્મલાએ પોતાના જવાબમાં લખ્યું, ઉપયુક્ત સમય પર જરુરિયાતો તથા અન્ય કારકોને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલ આ 5 પેટ્રોલિયમ ઉત્પાદોના જીએસટીમાં સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે.