ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાનને લઇને ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આઇ.કે.જાડેજાએ સ્પષ્ટ કહ્યું છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ મનમોહનસિંહ સરકારમાં પણ વધ્યા હતા. મોંઘવારીને નિયમંત્રમાં રાખવા કેન્દ્ર સરકાર સફળ રહી છે. દેશનો વિકાસદર પણ વધતો જાય છે. દેશની પ્રગતિ જીડીપીના આધારે હોય છે. જ્યારે ફુગાવો પણ નિયંત્રણમાં છે.
વધુમાં નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપ સરકાર યોગ્ય કામગીરી કહી રહી છે. હાર્દિકના ઉપવાસને લઇને તેમને સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હું ગઇકાલે જાપાનથી પરત આવ્યો છું. તેથી હજુ સુધી સીએમ અને પક્ષ સાથે કોઇ ચર્ચા થઇ નથી.
જો કે પાટણ સ્થિત વીર મેઘમાયા ધાર્મિક સ્થાનના વિકાસ માટે સરકારે 3 કરોડની કરી હતી. જે જાહેરાતને દલિત સમાજ દ્વારા આવકારવામાં આવી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે સરકાર દ્વારા વીર જોગમાયા ધાર્મિક સંસ્થાને 3 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ ધાર્મિક સ્થાને ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવશે. નાગરિકો અને લોકો પેઢીના ઇતિહાસને જાણશે. સમગ્ર સમાજ માટે બલિદાન આપનાર વિર મેઘમાયાને જીવંત રાખવા માટે સરકાર કદમ ઉઠાવી રહી છે. વણકર સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અને નેતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.