અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી ગઇ છે. પેટ્રોલ એલાઉન્સમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આથી વાહન ભથ્થું મેળવતા કર્મચારીઓને લાભ મળશે. ગઇ જુલાઈ માસમાં વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો. પરંતુ 3 માસ બાદ વધારો કરવામાં આવતા અનેક સવાલ થયા છે.
અમદાવાદ મનપાના કર્મચારીઓની દિવાળી સુધરી
પેટ્રોલ એલાઉન્સમાં 5 રૂપિયાનો કરાયો વધારો
પેટ્રોલ એલાઉન્સ મેળવતા અધિકારીઓ અને કર્મચારીઓને અત્યાર સુધી દર મહિને પેટ્રોલ એલાઉન્સ પેટે દરરોજ 1.10 લિટર પેટ્રોલ અને 0.40 ઓઈલના 82.70 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી. જો કે, પેટ્રોલ-ડીઝલના વર્તમાન ભાવને ધ્યાનમાં રાખી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં આ વધારો કરી એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
ST કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ
એસ. ટી. વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત થઇ હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. ફિક્સ પગારના કર્મચારીના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
ડ્રાઇવર, કંડક્ટર, હેલ્પર અને ક્લાર્કના પગારમાં કરાયો વધારો
એસ. ટી. વિભાગના ડ્રાઇવર, કંડક્ટર, હેલ્પર અને ક્લાર્કના પગારમાં વધારો કરાયો છે. 12 હજાર 692 કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરે છે. જ્યારે વર્ગ-4ના કર્મચારીઓને 15 હજાર પગાર મળશે. વર્ગ-2ના સિનિયર અધિકારીઓને 16 હજાર 800થી વધારી 40 હજાર પગાર કરવામાં આવ્યો છે.