રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, ભારતીય બેન્ક એસોસિએશન (IBA) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને અન્ય લોકો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ સામે SCમાં અરજી
કોર્ટના આદેશની અવમાનના કરવાનો લાગ્યો આરોપ
પહેલા પણ આ પ્રકારે થઈ ચૂકી છે કેટલીક અરજી
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં અગાઉ સુપ્રીમ કોર્ટના ભંગ તથા કોર્ટની તિરસ્કાર મુદ્દે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, અરજદારોના ખાતાને બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) તરીકે જાહેર કરીને જાહેરનામું કેસના સંદર્ભમાં અરજદારો - મેસર્સ અઝીઝ ટ્રેડિંગ કંપની, ઉમરાઝ ટ્રેડિંગ કોર્પોરેશન, અજય હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, લાતુર, મહારાષ્ટ્ર - એ એડવોકેટ વિશ્વાસ તિવારી અને એડવોકેટ ઓન રેકોર્ડ (એઓઆર) દ્વારા તેમની અરજી દાખલ કરી છે.
શું લખ્યું છે અરજીમાં ?
પ્રતિવાદી, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના ગવર્નર, શક્તિકાંત દાસ, ભારતીય બેંક્સ એસોસિએશન (આઈબીએ) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા દેશભરમાં આ કોર્ટના આદેશનું પાલન અને સુનિશ્ચિત કરવા ફરજ હતી પરંતુ તેમણે ઇરાદાપૂર્વક આવું ન કર્યું તેવી વાત અરજીમાં લખવામાં આવી છે.
શું હતો સુપ્રીમ કોર્ટનો આદેશ
તિવારીએ અરજીમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ 3 સપ્ટેમ્બર 2020 દેશભરની તમામ ધિરાણ આપતી સંસ્થાઓ / બેંકો માટે લાગુ છે અને COVID-19 રોગચાળા દરમિયાન નાણાકીય તણાવથી રાહત આપા માટે તમામ ઉધાર લેનારાઓના ખાતાની તરફેણમાં પસાર કરવામાં આવ્યો હતો.
પહેલા પણ થઈ ચૂકી છે કેટલીક અરજી
આ સાથે જ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોર્ટની અવમાનના કરનારા લોકોને દંડ કરવામાં આવે, જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટમાં આ પહેલા પણ કેટલીક અરજીઓ કરવામાં આવી ચૂકી છે.