પાક વીમાના વળતર માટે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટીશન થઈ છે. ખેડૂતોને સમયસર પાક વીમાનું વળતર ન મળતાં પિટીશન કરવામાં આવી છે.
આ પિટીશનને પગલે સરકાર અને વીમા કંપનીઓ પર દબાણ વધશે. મહત્વનું છે કે ખેડૂતોને લાંબા સમયથી વળતર ન મળતાં ખેડૂતો પરેશાન છે.
એટલું જ નહીં 2017-18ની અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો છે.
જોકે હજુ સુધી ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરાઈ છે. જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં 24મી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.