ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કથિત જાસૂસીના કેસમાં મોતની સજા મેળવેલ ભારતીય નાગરિક કૂલભૂષણ જાધવને જલ્દી ફાંસી આપવા માટેની માંગણી કરતી ત્યાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે જો જાધવ પોતાની ફાંસીની સજા બદલવામાં નિષ્ફળ રહે છે તો તેનો સજાનો અમલ જલ્દીથી જલ્દી થવો જોઇએ.
સુપ્રીમ કોર્ટના વકીલ મુજમિલ અલીએ વિપક્ષના નેતા અને પૂર્વ સીનેટ અધ્યક્ષ ફારૂક નાઇક તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સંઘીય સરકારને એવું સુનિશ્વિત કરવાના નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી છે કે જો જાધવ તરફથી કોઇ અપીલ ઘણા સમયથી પડી છે તો એની પર જેશના કાયદાના અનુરૂપ જલ્દી કોઇ નિર્ણય લઇ લેવો જોઇએ.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં એવી પણ અપીલ કરી છે કે જાધવ પોતાની ફાંસીને બદલાવામાં નિષ્ફળ રહે છે તો એની સજાનો અમલ જલ્દીથી જલ્દી કરવો જોઇએ. એમણે કોર્ટ પાસે એવી પણ જાહેરાત કરવાની અપીલ કરી છે કે જાધવ બાબત પર કાર્યવાહી કાયદાકીય કરવામાં આવી છે અને પૂરી પ્રક્રિયાનું પાલન પણ કરવામાં આવ્યું છે સાથે ભારતની માંગણી પ્રમાણે એને રાજનીતિક પહોંચ પણ પૂરી પાડવામાં આવી છે.
નોંધનીય છે કે પાકિસ્તાને દાવો કર્યો છે કે એના સુરક્ષાદળોએ જાધવને 3 માર્ચના દિવસે બલૂચિસ્તાન પ્રાંતથી ધરપકડ કરી હતી. પાકિસ્તાની સૈન્ય કોર્ટે જાસૂસીના કેસમાં એને ફાંસીની સજા સંભળાઇ છે. જો કે ઇન્ટરનેશનલ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.