કોંગ્રેસે પહેલા પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સહમતી કે અસહમતી દર્શાવી નથી
આર્થિક આધાર પર 10 ટકા અનામતને લઈ મોટા સમાચાર
મધ્યપ્રદેશ એક કોંગ્રેસ નેતાએ રિવ્યુ પિટિશન દાખલ કરી
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સહમતી કે અસહમતી દર્શાવી નથી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આર્થિક આધાર પર 10 ટકા અનામતને લઈ કેન્દ્ર સરકારના નિર્ણયને બરાબર ઠેરવ્યો હતો. જોકે હવે મધ્યયપ્રદેશના એક કોંગ્રેસ નેતાએ તેના વિરુધ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે પહેલા પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સહમતી કે અસહમતી દર્શાવી નથી.
મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા દ્વારા EWS મુદ્દાઓ પર કેન્દ્રના નિર્ણયને સમર્થન આપતા ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.
Review petition filed in the Supreme Court against judgement upholding Centre's decision on EWS issues by a Madhya Pradesh Congress leader https://t.co/wpGxqIkMyU
સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના નિર્ણયને માન્ય રાખ્યો. જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, મોટો પ્રશ્ન એ છે કે, શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. શું SC/ST/OBC ને તેનાથી દૂર રાખવા એ મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે ? તેમણે કહ્યું કે, EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. EWS આરક્ષણ સાચું છે. તે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. તે ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, હું જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છું.