ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારના સુધારેલા કાયદાઓને અપાઈ ચેલેન્જ, ધર્માંતરણ, લવ જેહાદ અને વિધર્મી સાથે લગ્ન માટે સરકારની ફરજિયાત મંજૂરીની વિરુદ્ધમાં અરજી
ધર્માંતરણના અંગે કરેલા સુધારા મુદ્દે હાઇકોર્ટમાં થઇ અરજી
ધર્માંતરણ અંગે સરકારે કરેલા કાયદાના સુધારાને પડકારાયો
બંધારણથી વિપરીત કાયદો લાવી ન શકાયઃ અરજદાર
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે કરેલા કાયદના સુધારાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ધર્માંતરણના કાયદમાં સરકારના સુધારા બાદ તેને ચેલેન્જ કરવામાં આવ્યો છે. અને અરજદારે અરજી સાથે કેટલીક દલિલો પણ કરી છે. જેમાં વ્યક્તિએ કયો ધર્મ નિભાવવો અને કયો ધર્મ અપનાવવો તે પોતાની અંગત બાબ છે. આ સાથે વધુ એક અરજી અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવાના મામલે સરકારની મંજૂરી જરૂરી છે. જેને લઈને પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી દેવાઈ છે. કોર્ટ દ્વારા અરજદારની અરજી સ્વિકારીને આગામી દિવસોમાં સુનાવણી કરવાની મંજૂરી મળી છે.
આ સાથે વધુ એક કાયદો ગુજરાત સરકાર દ્વારા અમલી કરવામાં આવ્યો છે. જેને સામાન્ય રીતે લોકો લવ જેહાદ તરીકે ઓળખે છે. જેનું કાયદાકીય નામ ગુજરાત ધર્મ સ્વાત્ર્ય સુધારા વિધેયક 2021 છે. લવ જેહાદના આ કાયદાને પણ કોર્ટમાં ચેલેન્જ કારાયો છે. આ અંગે અરજીમાં અરજદારે કહ્યું કે, બંધારણથી વિપરીત કાયદો બનાવીને નાગરિકોના અધિકારો પર સરકાર તરાપ મારી શકે નહીં. અરજદાર દ્વારા કોર્ટમાં સમગ્ર મામલે ઝડપથી સુનાવણીની પણ રજા લેવાઈ છે. અને કોર્ટે પણ રજૂઆત સ્વિકારીને પરવાનગી અપાઈ છે.
ગુજરાતમાં 15મી જૂનથી લવજેહાદના કાયદાની અમલવારી
ગુજરાતમાં લોભ-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણીએ કાયદો 15 જૂનથી લાગું કરવા જાહેરાત કરી હતી.
કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં.
ગુનેગારને કડક સજા થશે
આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે.
ધારાસભ્યોએ કરી હતી રજૂઆત
ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે યુપીની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.
કાયદામાં શું જોગવાઇઓ છે?
કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ
2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ
સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ
સગીર,SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 3 લાખથી ઓછીં નહીં એટલો દંડ
લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ
અધિનિયમ 2003ના 22માં અધિનિયમની કલમમાં સુધારો
બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
સ્ત્રી સાથે લોહીનો સબંધ ધરાવતા સંબંધી ફરિયાદ કરી શકશે