જામનગરના કાલાવડના એક ખેડૂતે વીડિયો વાયરલ કર્યો છે. 10 વીઘામાં વાવેલા કપાસના પાકમાં ઈયળ આવવાનો ખેડૂતે વીડિયો વાયરલ કર્યો. આ વીડિયોમાં ખેડૂતે પોતાની વેદના ઠાલવી છે. ઈયળના કારણે પાક નિષ્ફળ જવાની આરે છે. બજારમાં ખેડૂતો માલ વેચવા જતા મજૂરી જેટલો પણ ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે ખેતી છોડીને નોકરી પર જવાનો ખેડૂતે નિર્ણય કર્યો છે.