મોરબીની ક્રિષ્ના બેકરીના પાઉંમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકના પાઉંમાંથી જીવાત નીકળી છે. શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના બેકરીમાં આ ઘટના બની છે. માલિકે લાકડાનો ટુકડો હોવાનું કહીને વાત ટાળી દિધી હતી. અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ આહારની સાથે-સાથે અનાજમાં બેજવાબદારીનું પ્રમાણ પણ વધ્યું છે. અનાજમાં, ફૂ઼ડ પેકેટમાં જીવાતો નિકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે અનેક સવાલો ઉભા કરે છે. તહેવારો હોય ત્યાર દેખાડા પૂરતા દરોડા થાય છે. બાકી વર્ષભર આ રીતે સૌના આરોગ્ય સાથે ચેડા ચાલતા જ રહે છે. ત્યારે હવે આ મામલે કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.