પેશાવર: પાકિસ્તાના પેશાવરમાં ઉંદરના કરડી જવાથી એક વ્યક્તિનું મોત થયાં બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું હતું. ઉંદરના આ પ્રકારના આતંકને રોકવા માટે પેશાવરના સ્થાનિક તંત્ર દ્વારા એક ઉંદર મારવા પર 25 રૂપિયા આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
સ્થાનિક સરકારે નક્કી કર્યું હતું કે આ પ્રકારની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે સ્થાનિક લોકોને પણ જોડવા પડશે. માટે જ અમે આવો નિર્ણય લીધો છે કેસ એક ઉંદર મારવા પર વ્યક્તિને 25 રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.
આ સાથે પ્રશાસને એવો પણ નિર્ણય લીધો કે દરેક વિસ્તાર દીઠ એક જગ્યા બનાવવામાં આવશે અને તે સ્થળે મરેલા ઉંદરને ભેગા કરવામાં આવશે. આ સ્થળે મરેલા ઉંદરને જે વ્યક્તિ લઇને આવશે તેને 25 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ અંગેની તમામ કામગીરી શહેરના પાણી અને સફાઇ સેવા વિભાગને સોંપવામાં આવેલ છે.
ઘરે-ઘરે ઉંદર મારવાની દવાનું પણ વિતરણ કરવામાં આવશે
પેશાવરના જિલ્લા અધિકારી મહમ્મદ આસિમે મોટા ઉંદરોના આતંકથી મુક્તિ મેળવવા અંગેના ઉપાયો પર ચર્ચા કરવા માટે એક ખાસ બેઠકનું પણ આયોજન કર્યું હતું. આ ઉંદરો સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સંબંધી જ સમસ્યા ઉભી નથી કરતા પરંતુ લોકો પર હુમલો કરીને તેમને કરડે છે અને નુકસાન પહોંચાડે છે. આ ઉંદરો 22-30 સેન્ટીમીટર ધરાવે છે.