પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે એક મહત્વનું નિવેદન આપ્યું છે. મુશર્રફે કબૂલ કર્યુ છે કે તેના કાર્યકાળ દરમિયાન આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ એ મહોમ્મદે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના આદેશથી ભારતમાં હુમલા કર્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફ હાલ દુબઈમાં રહે છે. તેમને દુનિયા સમક્ષ પાકિસ્તનને ફરી એકવાર ઉધાડું પાડ્યું છે. પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી જૈશ એ મહોમ્મદને આતંકીઓ સાથે કોઈ લેવા દેવા ન હોવાની વાત કરી રહ્યા છે. ત્યારે મુશર્રફે આ લોકોને તમાચો માર્યો છે અને કહ્યું છે કે, તેમના શાસનકાળ દરમિયાન આતંકીઓએ ISIના કહેવા પર ભારતમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠન દ્વારા બે વખત મુશર્રફની હત્યા કરવાનો પ્રયાસ પણ કરાયો હતો.
પાકિસ્તાનનમાં મસૂદ અઝહરની હાજરીને લઇને દેશના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું હતું કે, અઝહર પાકિસ્તામાં જ છે, પરંતુ સરકાર તેના વિરુદ્ધ ત્યારે જ કાર્યવાહી કરી શકે તેમ છે, જ્યારે ભારત તેના વિરુદ્ધ નક્કર પુરાવા કોર્ટમાં રજૂ કરી શકે. જ્યારે આ મામલે પાકિસ્તાની સેના ઇનકાર કરી રહી છે કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદનો વડો મસૂદ પાકિસ્તાનમાં છે.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન પર આતંરરાષ્ટ્રીય દબાવ વધી ગયો હતો જેને ચાલતા પાકિસ્તાની સરકાર દ્વારા મસૂદ અઝહરના ભાઇ અને પુત્ર સહિત અન્ય 44 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે ખુદ મુશર્રફે આ મામલે પોતાનો મત આપતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.