ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજે કહ્યું કે અર્થવ્યવસ્થાની મંદ ગતિને ઝડપ આપવા માટે સરકારને ઉદ્યોગોને વધુ રાહત આપની સાથે વ્યક્તિગત ઇનકમ ટેક્સના દરમાં ઘટાડો કરવો જોઇએ. એમણે ભારત આર્થિક સમ્મેલનમાં કહ્યું કે આ પગલાથી રાજકોષિયની સ્થિતિ પ્રભાવિત થઇ શકે છે. પરંતુ સરકારે આ ઉપાય કરવા જોઇએ.
ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજ આપ્યુ નિવેદન
આદિ ગોદરેજે કહ્યું- સરકાર વ્યક્તિગત ઇનકમ ટેક્સના દર ઓછા કરે
GDP વૃદ્ધિદર ઝડપી બનાવવા વધુ ઉપાયની જરૂર : આદિ ગોદરેજ
આદિ ગોદરેજે કહ્યું કે, સરકારે વધુ રાહતના ઉપાય કરવા જોઇએ. ગોજરેજે કહ્યું, 'અર્થવ્યવસ્થાનો વર્તમાન વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. અને આપણે તેમને ઝડપી ઉપર લાવવાની જરૂર છે. જો આ કારણે રાજકોષિય ખોટ પણ વધી જાય છે તો મને નથી લાગતું કે તેથી કોઇ ફર્ક પડશે. આ નિશ્ચિતપણે કરવું જોઇએ.' કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાથી ઉદ્યોગ જગતમાં સુધાર આવવાની સંભાવના વિશે પૂછવા પર એમણે કહ્યું કે, 'આ કામ કરશે, આ યોગ્ય સાબિત થશે પરંતુ વધુ ઉપાય કરવાની જરૂર છે. ખાનગી આવક પરના ટેકસના દરમાં પણ ઘટાડો કરવો જોઇએ.'
ગોદરેજે કહ્યું કે માંગમાં ઘટાડો હવે સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. એમણે વૃદ્ધિ તેજ કરવા, વિશેષ કરીને એફએમસીજી ક્ષેત્રના ઉપાયો વિશે કહ્યું કે, 'જીડીપી વૃદ્ધિ નરમ છે. આપણે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને જીડીપી વૃદ્ધિદર ઝડપી બનાવવા માટે વધુ ઉપાય કરવાની જરૂર છે.'