હસ્ત રેખા વિજ્ઞાનમાં અમુક ખાસ ચિન્હો વિશે જણાવવામાં આવ્યું છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આવા લોકો પર હંમેશા રહે છે માતા લક્ષ્મીની કૃપા
ક્યારેય નથી થતી ધનની કમી
તમારા હાથમાં છે આવી રેખાઓ?
હસ્તરેખા વિજ્ઞાન જ્યોતિષ શાસ્ત્રની મહત્વપૂર્ણ શાખા છે. હસ્તરેખા વિજ્ઞાનના હિસાબથી હથેળી પર બનેલી રેખાઓ પણ વ્યક્તિના જીવન વિશે ઘણુ બધુ જણાવે છે. જોકે આ રેખાઓના આધાર પર ભવિષ્યના સટીક મુલ્યાંકન ન કરવામાં આવી શકે કારણે કે સમય અને તમારા કર્મોના હિસાબથી રેખાઓ બદલાતી રહે છે.
હસ્તરેખા વિજ્ઞાનમાં અમુક ચિન્હો વિશે જણાવવામાં આવે છે જે હાથમાં હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અહીં જાણીએ આવા જ અમુક શુભ ચિન્હો વિશે જે એ જણાવે છે કે તમારા જીવન પર માતા લક્ષ્મીની ખાસ કૃપા છે અને જ્યા સુધી આ ચિન્હ તમારી હથેળીમાં છે તમારા જીવનમાં ક્યારેય ધનની અને વૈભવની કમી નહીં આવે.
લક્ષ્મી યોગ
હથેળી પર શુક્ર, ચંદ્રમાં અને બુધ પર્વત વિકસિત હોય, સાથે જ તેનો રંગ લાલ હોય તો માતા લક્ષ્મીનો યોગ બને છે. એવા લોકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. આવા લોકો પોતે મહેનત કરી ધન ઉભુ કરે છે. તેમની સાથે રહેનાર માટે પણ આ ખૂબ જ લકી સાબિત થાય છે. એવામાં લોકોને લક્ષ્મી નારાયણની પુજા કરવી જોઈએ.
રાજલક્ષ્મી યોગ
હથેળી પર શુક્ર, ચંદ્ર, બુધ, સૂર્ય અને ગુરૂ પર્વત પુષ્ટ હોવા પર રાજલક્ષ્મી યોગનું નિર્માણ થાય છે. જે ખૂબ શુભ યોગ માનવામાં આવે છે. આ લોકોને કોઈ પણ કામમાં ખૂબ ઝડપથી તરક્કી મળે છે. તેમને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. તેમની આવક કરોડોમાં હોય છે.
ગજલક્ષ્મી યોગ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જેમની બન્ને હથેળીની ભાગ્ય રેખા મણિબંધથી સીધી શનિ પર્વત સુધી જાય તો ગજલક્ષ્મી યોગ બને છે. તે ઉપરાંત હથેળીનો સૂર્ય પર્વત મજબૂત હોય, સૂર્ય રેખા પાતળી હોય અને લાલ હોય અને મસ્તિષ્ક રેખા, આયુ રેખા અને સ્વાસ્થ્ય રેખા સ્પષ્ટ હોય તો પણ ગજલક્ષ્મી યોગનું નિર્માણ થાય છે. આ રાજસી સુખ, સન્માન આપનાર યોગ છે. એવા લોકોનું ભાગ્ય હંમેશા તેમની સાથે રહે છે. તેના પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
ધનપતિ યોગ
જો હથેળીની જીવન રેખા ભાગ્ય રેખાથી દૂર હોવા પર ધનપતિ યોગનું નિર્માણ થાય છે. આવા લોકો ધનના સેઠ હોય છે. તેમના પર માતા લક્ષ્મીની ખાસ કૃપા હોય છે અને તેમની પાસે ઘણા સ્ત્રોતની સાથે એકસાથે પૈસા આવે છે. આ લોકો અખૂટ સંપત્તિના માલિક હોય છે.