દિલ્હીના વ્યક્તિએ મૃત્યુ બાદ પરિવાર અંતિમ સંસ્કાર ન કરે એટલા મટે હાઇ કોર્ટમાં અરજી કરી છે. જાણો વિગતવાર
દિલ્હીના કુંજ બિહારી બંસલે મૃત્યુ બાદ પરિવાર અંતિમ સંસ્કાર ન કરે એટલા મટે હાઇ કોર્ટમાં અરજી કરી
બંસલ ઈચ્છે છે કે અન્ય વ્યક્તિ કે જે તેના દીકરા જેવો છે, તે અંતિમ સંસ્કાર કરે
હૃદયની બીમારીથી પીડિત છે બંસલ
દિલ્હીના વ્યક્તિએ મૃત્યુ બાદ પરિવાર અંતિમ સંસ્કાર ન કરે એટલા મટે હાઇ કોર્ટમાં અરજી કરી
હૃદયની બીમારીથી પીડિત 56 વર્ષીય એક વ્યક્તિએ દિલ્હી હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને અરજી કરી છે કે તેના પરિવારને તેના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર ન કરવા દેવામાં આવે. દિલ્હી નિવાસી ઈચ્છે છે કે તેનું બોડી એ વ્યક્તિને સોંપવામાં આવે, જેને તે દીકરો માને છે. શખ્સે દાવો કરતાં કહ્યું છે કે તે વ્યક્તિ જ તેની સારસંભાળ રાખતો હતો, જ્યારે તે પથારી પર હતો.
Delhi Resident Wants His Body To Be Handed Over To Third Party After Death, Moves High Court To Bar Family From Performing Last Rites @nupur_0111https://t.co/TbJvgx9kvJ
બંસલ ઈચ્છે છે કે અન્ય વ્યક્તિ કે જે તેના દીકરા જેવો છે, તે અંતિમ સંસ્કાર કરે
કુંજ બિહારી બંસલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દિલ્હી સરકાર દ્વારા સ્થાપિત શબઘર માટે એસઓપીની કલમ 7.1ને પડકારવામાં આવે છે જેમાં કહેવામાં આવ્યું છે કે મૃતદેહ ફક્ત સંબંધીઓને જ આપી શકાય છે.
બંસલે તેની પત્ની, દીકરી અને જમાઈને પણ તેના અંતિમ સંસ્કાર ન કરવા દેવાની માંગ કરી છે. પોતાની અરજીમાં બંસલ કહે છે કે તેની પત્નીએ ક્યારેય તેની દીકરીનાં ઉછેરમાં તેને હિસ્સો બનવા દીધો નથી. તેની દીકરીનાં લગ્નમાં પણ બંસલને આમંત્રણ મળ્યું ન હતું.
પતિ પત્ની વચ્ચે અણબનાવ
આજે સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ યશવંત વર્માએ નોંધ્યું હતું કે અરજીમાં કરાયેલા ખુલાસા દર્શાવે છે કે બંને વચ્ચે ગંભીર અણબનાવ છે. અરજીમાં પ્રાર્થના કરવામાં આવી છે કે એસઓપીનું એવી રીતે અર્થઘટન કરવામાં આવે જે ક્રિશ શર્માને "અસંભવિત ઘટના"માં બંસલના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપે. કોર્ટે આ મામલાની સુનાવણી 14 ઓક્ટોબરના રોજ રાખતા કહ્યું હતું કે, "પ્રતિવાદીના વકીલને આ મામલે સૂચનાઓ લેવા દો."
અરજીકર્તા જણાવે છે કે હાલની અરજી દ્વારા તે કલમ હેઠળ મેળવેલા તેમના જીવન, ન્યાયી વ્યવહાર અને પ્રતિષ્ઠાના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે, જે તેમણે તેમના મૃત્યુ પછી તેમના મૃતદેહના નિકાલના સંદર્ભમાં તેમના સામાન્ય કાયદા સાથે ભારતના બંધારણના આર્ટીકલ 21 હેઠળ મેળવેલ છે.