જામનગર શહેરમાં વ્યાજખોરીનો ધીકતો ધંધો છે. મજબૂર લોકો વ્યાજખોરોના ત્રાસથી જામનગરમાં જીવ ગુમાવી રહ્યાં છે. જામનગરમાં એવા કેટલાય માસૂમો છે જેમણે પિતાની છત્રછાયા માત્ર વ્યાજખોર લોકોના કારણે ગુમાવી છે. જામનગરમાં આવો જ એક દુખદાયી કિસ્સો બન્યો છે. 35 વર્ષના એક યુવાને પોતાનું જીવન વ્યાજખોરના કારણે ટૂંકાવ્યું અને આત્મહત્યા કરી છે. જામનગર શહેરના રવિ ભોજવાણી નામના યુવાને ત્રણ વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. એક લાખ રૂપિયા આપ્યા તેને બે વર્ષ થયા અને સતત બે વર્ષથી આ નરાધમો રવિ પાસેથી વ્યાજ વસૂલી રહ્યાં હતા. રવિએ સુસાઈડ નોટ લખી છે અને પથ્થરને પણ રડાવે તેવી વાત એ સુસાઈડ નોટમાં કરી છે. પોતાના સંતાનોના પેટમાં અન્ન પણ નથી જતું અને પોતાની મોટાભાગની કમાણી વ્યાજખોરો લઈ જાય છે તેવું દર્દ રવિએ સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું છે.
આવામાં સૌથી મોટો સવાલ એ છે કે આવા વ્યાજખોરો ક્યાં સુધી આવો ત્રાસ ગુજારતા રહેશે? સરહદે ત્રાસવાદી અને શહેરમાં વ્યાજખોરનો આતંક વધ્યો છે ત્યારે કોણ આ લોકોને ડામશે? આ જ મુદ્દે ધારદાર રજૂઆત સાથે જુઓ અમારો વીડિયો AarPaar with Hemant માં