ભાજપ સાંસદ સંજય જયસ્વાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ભાજપ સાંસદ સંજય જયસ્વાલનો ગાંધી પરિવાર પર મોટો હુમલો
રાહુલના કેમ્બ્રિજ યુનિ.વાળા નિવેદન પર બોલ્યાં વિવાદ થાય તેવું
કહ્યું વિદેશી મહિલાથી પેદા થયેલી વ્યક્તિ કદી પણ દેશભક્ત ન બની શકે
જ્યારથી રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય લોકશાહીને લઈને નિવેદન આપ્યું છે ત્યારથી શાસક પક્ષના નેતાઓ અને મંત્રીઓ રાહુલને નિશાન બનાવી રહ્યાં છે. ગત અઠવાડિયે ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે પણ રાહુલને દેશની બહાર કરી દેવાનું જણાવ્યુ હતુ જે પછી હવે બીજા સાંસદ પણ રાહુલ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ વિદેશમાં દેશનું અપમાન કર્યું
લંડનમાં ભારતીય લોકશાહી અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા ભાજપના સાંસદ સંજય જયસ્વાલે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીએ વિદેશમાં દેશનું અપમાન કર્યું છે. જો તમે કહો કે આપણી લોકશાહી, અદાલતો અને પત્રકારો બધા ખોટા છે, તો તે સ્પષ્ટ છે કે તમને ભારત પર વિશ્વાસ નથી.
વિદેશી સ્ત્રીથી પેદા થયેલ વ્યક્તિને દેશભક્ત ન ગણી શકાય
જયસ્વાલે કહ્યું કે વિદેશી સ્ત્રીને ત્યાં જન્મેલી વ્યક્તિ ક્યારેય દેશભક્ત ન હોઈ શકે. તેમણે કહ્યું, "તેઓ (રાહુલ ગાંધી) પીએમ મોદીથી નારાજ છે કારણ કે તેઓ પોતાને રાજકુમાર માને છે અને પીએમ છેલ્લી બે ટર્મથી બહુમતીવાળી સરકાર બનાવી રહ્યા છે.