ગાંધીનગર: રાજ્યમાં રાતે શાળાઓ ચલાવવા માટે બોર્ડના મેમ્બર ડૉક્ટર પ્રિયવદન દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. આ મામલે પ્રિયવદન 12 ઓક્ટોબરે બોર્ડની સામાન્ય સભામાં દરખાસ્ત કરશે.
સરકાર દ્વારા રાજ્યમાં રાતે શાળાઓને મંજૂરી આપાઈ શકે છે. મહત્વનુ છે કે મહારાષ્ટ્રમાં ધોરણ 11 12 અને જુનિયર કોલેજ રાતે ચલાવાવમાં આવે છે. આ મામલે પ્રિયવદન દ્વારા રાતે કોલેજ ચલાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
જોકે ગુજરાતમાં હાલમા રાતે શાળાની જોગવાઈ નથી. હવે આગામી 12 ઓક્ટબરે સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂરી મળશે તો રાજ્યમાં રાજ્યમાં રાતે કોલેજ અને શાળાઓની શરૂઆત થઈ શકે છે.