બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લગ્ન રદબાતલ થાય તો પણ પત્ની કાયમી ભરણપોષણ મેળવવા હકદાર- સુપ્રીમનો ચુકાદો

ન્યાયિક / લગ્ન રદબાતલ થાય તો પણ પત્ની કાયમી ભરણપોષણ મેળવવા હકદાર- સુપ્રીમનો ચુકાદો

Last Updated: 03:35 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું કહ્યું કે જો લગ્ન રદબાતલ થાય તો પણ પત્ની કાયમી ભરણપોષણ મેળવવા હકદાર છે.

ભરણપોષણ સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે હિંદુ મેરિજ એક્ટ 1955 હેઠળ લગ્ન રદબાતલ થઈ જાય તો પણ પત્ની પતિ પાસેથી કાયમી ભરણપોષણની હકદાર રહે છે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે હિંદુ મેરિેજ એક્ટ 1955ની કલમ 11 હેઠળ લગ્ન રદબાતલ થયેલા હોય તો પત્ની કલમ 25 હેઠળ પતિ પાસેથી કાયમી ભરણપોષણ માગવા હકદાર છે. ઉલ્લેખનીય છે કે હિંદુ મેરિજ એક્ટની કલમ 25 ફેમિલી કોર્ટે કાયમી ભરણપોષણ આપવાની સત્તા બક્ષે છે.

બીજી પત્ની પણ ભરણપોષણ માટે હકદાર

આ પહેલાંના એક ચુકાદામાં સુપ્રીમે એવું કહ્યું હતુ કે બીજી પત્ની ભરણપોષણ માટે લાયક છે કે નહીં અને જો હોય તો તેને પહેલી પત્ની જેટલું જ ભરણપોષણ મળી શકે કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભરણપોષણ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે એવી ટીપ્પણી કરી છે કે બીજી પત્ની ભરણપોષણ માટે યોગ્ય તો છે પરંતુ જરુર નથી કે તેને પહેલી પત્ની જેટલા જ પૈસા મળે.

ભરણપોષણનો સાચો હેતુ શું?

ભરણપોષણનો સાચો અર્થ સમજાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્નીને ગરીબીથી બચાવવા, તેની ગરિમા જાળવી રાખવા અને સામાજિક ન્યાય આપવા માટે ભરણપોષણની વ્યવસ્થા છે. સુપ્રીમે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જો છૂટાછેડા બાદ પતિ ગરીબ બની જાય તો શું પત્ની તેની મિલકતામાં સમાન ભાગ માગશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Permanent alimony news Permanent alimony
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ