આજે ગુપ્ત નવરાત્રિની સાતમી તિથી છે અને ભક્તો ધૂમાવતી માતાની પૂજા અર્ચના કરે છે.
ગુપ્ત નવરાત્રીની સાતમી તિથી
માતા પાર્વતિની થાય છે પૂજા
ધૂમાવતી સ્વરૂપમાં થાય પૂજા
માતા ધુમાવતીના દર્શનથી સંતાન અને પતિની રક્ષા થાય છે. માતા ભક્તોના દરેક કષ્ટને મુક્ત કરનારી દેવી છે. માન્યતા છે કે કોઇ સુહાગણ ધૂમાવતી દેવીની પૂજા નથી કરતી, દૂરથી જ તેમના દર્શન કરી લે છે. ગુપ્ત નવરાત્રિની સાતમી તિથીના દિવસે ધૂમાવતી દેવીના પાઠ અને સામૂહિક જપ-અનુષ્ઠાન કરવામાં આવે છે.
કેવુ છે ધૂમાવતી માતાનું સ્વરૂપ
માતા પાર્વતિનું ધૂમાવતી સ્વરૂપ અત્યંત ઉગ્ર છે.
માતા ધૂમાવતી વિધવા સ્વરૂપમાં પૂજવામાં આવે છે.
માતા ધૂમાવતીનું વાહન કાગડો છે.
તે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે અને ખુલ્લા વાળમાં હોય છે.
કેવી રીતે કરશો પૂજન
માતા ધૂમાવતી દશ મહાવિદ્યાઓમાં અંતમિ વિદ્યા છે. ખાસ કરીને ગુપ્ત નવરાત્રિમાં તેમની પૂજા થાય છે. બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાન કરીને પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરી જળ, પુષ્પ, સિન્દુર, કંકુ, ચોખા, ફળ, ધૂપ, દીપ તથઆ નિવેધ વેગેરેથી માતાની પૂજા કરવી જોઇએ. મા ધૂમાવતીના જાપ કરવાથી મનુષ્યના દરેક પાપ દૂર થાય છે અને દુઃખ દરિદ્રતા દૂર થાય છે.