હિંદુ ઘર્મને અનુસાર માનવામાં આવે છે કે તમામ દિવસોનું પોતાનું મહત્વ હોય છે. જો દિવસના અનુસાર કામ કરો તો દેવી-દેવતાની કૃપા તમારા પર બની રહે છે. હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલાક સમયમાં જ તમારું નસીબ બદલાઇ શકે છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા સરળ ઉપાયો જે ઘન-સપંતિની સાથે સાથે મનની શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે.
શાસ્ત્રોને અનુસાર હનુમાનજી જલ્દીથી પ્રસન્ન થતા દેવી-દેવતાઓમાંથી એક છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસના અનુસાર માતા સીતા દ્વારા પવનપુત્ર હનુમાનજીને અમર રહેવું વરદાન આપવામાં આવ્યુ હતુ. આ વરદાનના પ્રભાવથી તમને અષ્ટચિંરજીવીમાં શામેલ કરવામાં આવ્યા છે. કળયુગમાં હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ તરત જ પૂર્ણ કરે છે.
શ્રીરામના ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતા જ ભક્તોના તમામ દુ:ખ દૂર થઇ જાય છે. પૈસાથી જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે. કોઇ રોગ હોય તો તે પણ દૂર થઇ જાય છે. આ સાથે જ કોઇ વ્યકિતની કુંડળીમાં કોઇ ગ્રહદોષ હોય તો પવનપુત્રની પૂજાથી તે દૂર થઇ જાય છે.
જાણો હનુમાનજીની પૂજાના ખાસ ઉપાયો:
નારિયેળનો ઉપાય:
કોઇ પણ હનુમાન મંદિરમાં જાઓ ત્યારે સાથે નારિયેળ લઇને જાઓ. મંદિરમાં નારિયેળે તમારા માંથા પરથી સાતવખત ફેરવો. ત્યારબાદ આ નારિયેળ હનુમાનજીની સામે ફોડી દો. આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે. શનિવારના હનુમાનજીના મંદિરમા 1 નારિયળ પર સાથિયો બનાવી અને હનુમાનજીને અર્પિત કરીને હનુમાનજીના ચાલીસાનો પાઠ કરો.
ચાર દિવેટનો દિવો:
હનુમાનજીની સામે શનિવારના રાતે ચાર દિવેટનો દિવો કરો. આ એક નાનો પરંતુ ચમત્કારી ઉપાય છે. આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો ઘર-પરિવારની તમામ મુશ્કેલીઓનો સમાપ્ત થઇ જશે.
હનુમાનજીને સિંદુર ચઢાવો:
હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ અને સ્વામીની લાંબા આયુ માટે સિંદૂર લગાવે છે એ જ રીતે હનુમાનજી પણ પોતાના ભગવાન શ્રીરામ માટે પૂરા શરીરમાં સિંદૂર લગાવે છે. જે વ્યકિત શનિવારના હનુમાનજીની સિંદૂર અર્પિત કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
પીપળના ઝાડની નીચે કરો આ ઉપાય:
કોઇ પણ પીપળના ઝાડને જળ ચઢાવી અને સાત વખત પરિક્રમા કરો. ત્યાર બાદ પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.