ટ્વિટરના એક યુઝર નિખિલ જૉઈસને શુક્રવારે સવારે એક ઈ-મેઈલ મળ્યો. તેમાં લખવામાં આવ્યુ હતું કે જૂન 2015માં કરવામાં આવેલી તેમની ટ્વિટને કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટને સોંપવામાં આવી છે. નિખિલે ટ્વિટમાં લખ્યુ હતું કે તમે પણ કુરકુરે સળગાવવાનો પ્રયત્ન કર્યો છે? તેમાં પ્લાસ્ટિક છે.
આ રીતે સેંકડો લોકોને નોટિસ મળી છે જેમના એકાઉન્ટની ડિટેલ કોર્ટને સોંપવામાં આવી રહી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આ જાણકારી દિલ્હી કોર્ટને એટલા માટે આપવામાં આવી રહી છે કેમકે પેપ્સિકો ફેસબુક ટ્વિટર યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર પેપ્સિકો સામે કેસ કર્યો છે. 1 જૂનના પેપ્સિકોએ ઘણા અમેરિકન પ્લેટફોર્મ સામે કેસ દાખલ કર્યો. પેપ્સિકોનું કહેવું છે કે આ પ્લેટફોર્મ તેમની પ્રોડક્ટને બદનામ કરવાની મંજૂરી આપે છે. દાવો કરવામાં આવ્યો છે કે આનાથી કંપનીને 2.1 કરોડ રૂપિયા નુકસાન થયું છે.
પેપ્સિકોએ કોર્ટને કહ્યુ કે સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલા વીડિયો અને પોસ્ટમાં બતાવવામાં આવ્યુ છે કે કુરકુરેમાં પ્લાસ્ટિક છે અને તે નુકસાનકારક છે. ટ્વિટર યુઝર જૉઈસ કહે છે કે મારી ટ્વિટમાં પ્લાસ્ટિક શબ્દ જ નહોતો માત્ર 'પ્લા' શબ્દ હતો.
સોમવારના કોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે જે લોકોએ સોશ્યલ મીડિયા પર કુરકુરેના વિશે ટિપ્પણી કરી છે તેની જાણકારી બંધ એનવેલોપમાં આપવામાં આવશે. જો કે અકાઉન્ટની કઈ ડીટેલ કોર્ટને આપવામાં આવી તે સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. યૂટ્યુબનું કહેવું છે કે તેમણે આવા દરેક કન્ટેન્ટના URLને હટાવી લીધા છે. ફેસબુક અને ટ્વિટરે પણ પોસ્ટ હટાવવાનો દાવો કર્યો છે.
પેપ્સિકોએ માત્ર ફેસબુકની 3412 પોસ્ટની લિંક કોર્ટમાં આપી છે. જ્યારે ટ્વિટરની લાખો લિંક આપવામાં આવી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કુરકુરેને લગતા કન્ટેન્ટને બ્લોક કરવામાં આવે. જો કે IT એક્ટની ધારા 79 અંતર્ગત ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ આના માટે જવાબદાર નથી.