કોરોના વાયરસ બાદ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ખુબ વધ્યો છે. તેમાં પણ લોકો નાઇટ શિફ્ટ વધારે કરતા હોય છે. નાઇટ શિફ્ટ હેલ્થ માટે નુકસાનકારક છે.
નાઇટ શિફ્ટમાં કામ કરતા પહેલા સાવવધાન
હેલ્થ માટે નુકસાનકારક છે નાઇટ શિફ્ટ
ડે શિફ્ટ કરતા નાઇટ શિફ્ટના લોકોને કેન્સનું જોખમ વધુ
મોટી સંખ્યામાં કર્મચારી નાઇટ શિફ્ટમાં કામ કરે છે પરંતુ નાઇટ શિફ્ટમાં કામ કરવાથી શરીરને ખુબ જ નુકસાન થાય છે. એક રિસર્ચ પ્રમાણે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોને સામાન્ય લોકોની સરખામણીમાં કેન્સર થવાનુ જોખમ વધારે રહે છે.
શરીરની રિધમ થાય છે પ્રભાવિત
વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાઓએ એક સ્ટડી કર્યુ જેમાં સંકેત મળ્યો છે કે જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેમને ડે શિફ્ટમાં કામ કરતા લોકોની તુલનામાં અલગ અલગ પ્રકારના કેન્સર થવાની શક્યતા રહે છે.
સ્ટડી રિપોર્ટ્સ પ્રમાણે નાઇટ શિફ્ટના કારણે શરીરનું જે 24 કલાકની નેચરલ રિધમ હોય છે તે કેન્સર સાથે જોડાયેલ નિશ્ચિત જીન્સની એક્ટિવિટીમાં હર્ડલ પેદા કરે છે. જેના કારણે DNA ડેમેજ થાય છે અને સંવેદનશીલ થઇ જાય છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના રહે છે.
ન કરો નાઇટ શિફ્ટમાં કામ
જર્નલ ઓફ પાઇનિયલ રિસર્ચમાં નવી સ્ટડી પ્રમાણો ઓનલાઇન કહેવામાં આવ્યું છે કે, નાઇટ શિફ્ટ અને ડે શિફ્ટમાં સ્વસ્થ લોકોને રાખવામાં આવ્યા હતા. બાદમાં જે રિસર્ચ થયુ તે ચોંકાવનારુ હતુ. કારણકે ખરેખર ડે શિફ્ટ કરતા નાઇટ શિફ્ટના લોકોમાં તે હોર્મોન્સ વધારે હતા જેનાથી તમે કેન્સરનો ભોગ બનો.
ભારતમાં પણ કેટલાક એવા લોકો છે કે જે બહારની કંપની સાથે ભારતમાં રહીને જ કામ કરે છે. તેવા લોકોને ત્યાંના સમય પ્રમાણે કામ કરવુ પડે છે એટલે જ્યારે ભારતમાં રાત હોય ત્યારે ત્યાં વર્કિંગ હવર્સ હોય છે. જેના કારણકે ભારતમાં બધા ઉંઘતા હોય તે સમયે લોકો કામ કરતા હોય છે. આવા લોકોને કેન્સર થવાના ચાન્સિસ વધી જાય છે.