પોષક અને ખર્ચાળ ખોરાક ખાવા છતાં ઘણીવાર લોકોની હેલ્થ સારી રહેતી નથી. તેની પાછળ ઘણા કારણ હોય શકે છે પરંતુ પ્રખ્યાત નેચરોપેથી JD એડેમો દ્વારા એક મૂળ કારણ જણાવવામાં આવ્યું છે. એક્સપર્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ બ્લડ ગ્રુપ અનુસાર પોતાની ડાયટ નક્કી કરે તો ચોક્કસ તેની હેલ્થ પર સારી અસર થશે. એક્સપર્ટ દાવો કરે છે કે, બ્લડ ગ્રુપ અનુસાર લીધેલા ખોરાકને શરીર સરળતાથી પચાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, દરેક બ્લડ ગ્રુપની અલગ પ્રકૃતિ હોય છે. દરેક વ્યક્તિના ખાન-પાનનો તેના બ્લડ ગ્રુપ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. સામાન્ય રીતે બ્લડ ગ્રુપ ચાર પ્રકારના હોય છે. O, A, B, અને AB.
O બ્લડ ગ્રુપ વાળા લોકોને શું ખાવું જોઈએ?
O બ્લડ ગ્રુપ વાળા લોકોએ હાઇ પ્રોટીન ડાઈટ લેવું જોઈએ. ઉદાહરણ તરીકે દાળ, મીટ, ફિશ, ફ્રૂટ વગેરે ખાવું જોઈએ. સાથે અનાજ અને બીન્સ પણ પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. આ તમામ ખાદ્યપદાર્થો O બ્લડ ગ્રુપ વાળા લોકો હેલ્થ માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે.
A બ્લડ ગ્રુપવાળા લોકોને શું ખાવું જોઈએ?
A બ્લડ ગ્રુપવાળા લોકોએ પોતાની ડાયટમાં લીલી શાકભાજી, ટોફૂ, સી-ફૂડ અને વિવિધ પ્રકારની દાળનો સમાવેશ કરવો જોઈએ.
A બ્લડ ગ્રુપ વાળા લોકોને શું ન ખાવું જોઈએ?
એક્સપર્ટસ અનુસાર, A બ્લડ ગ્રુપ વાળા લોકોની ઇમ્યુન સિસ્ટમ સેન્સિટિવ હોય છે. તેથી તેમણે પોતાના ખાન-પાન પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. A બ્લડ ગ્રુપ વાળા લોકોની હેલ્થ માટે મીટ-ફ્રી-ડાઈટ સારું હોય છે. કારણકે શરીર મીટને સરળતાથી પચાવી શકતું નથી. તેથી એક્સપર્ટસ દ્વારા A બ્લડ ગ્રુપ વાળા લોકોને ચિકન-મટન ઓછું ખાવાની સલાહ આપવામાં આવી છે.
B બ્લડ ગ્રુપ વાળા લોકોને શું ન ખાવું જોઈએ?
B બ્લડ ગ્રુપ વાળા લોકોને ખાન-પાનની બાબતમાં કોઈ સમસ્યા હોતી નથી. B બ્લડ ગ્રુપ વાળા લોકોને ખોરાકનો વધારે ત્યાગ નથી કરવો પડતો. તે લીલી શાકભાજી, ફ્રૂટ્સ, ફિશ, મટન અને ચિકન બધુ જ ખાઈ શકે છે.