નાણા મંત્રી પીયૂષ ગોયલનું કહેવું છે કે અંતરિમ બજેટમાં આપવામાં આવેલી છૂટના કારણએ વર્ષના 9.5 લાખ રૂપિયા સુધીની આવક વાળાને ટેક્સ ચુકવવો પડશે નહીં. એમને કહ્યું કે ટેક્સ છૂટ વાળી રોકાણ યોજનાઓનો લાભ ઊઠાવતા લો ઇન્કમ ટેક્સથી મુક્ત થઇ શકો છો. તમને જણાવી દઇએ કે લોકસભામાં નાણાકીય બિલનો જવાબ આપતા પીયૂષ ગોયલે આ વાત કહી.
લોકસભામાં નાણાકીય બિલનો જવાબ આપતા ગોયલે કહ્યું કે એમને ઇન્કમ ટેક્સ રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ સામાન્ય લોકોને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સની આ જોગવાઇથી ખર્ચને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં મદદ મળશે.
અંતરિમ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમને પણ 40 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. એની સાથે જ ઘરની ખરીદદારોને પણ ટેક્સ લાભ આપવામાં આવ્યા છે. FD પર વ્યાજથી આવક પર ટીડીએસની સીમા 10 થી વાંચીને 40 000 રૂપિયા કરી દેવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અંતરિમ બજેટની એ જોગવાઇથી વરિષ્ઠ નાગરિકોને રાહત મળશે.
ગોયલે કહ્યું કે વીમા બચત પત્ર પ્રોવિડન્ડ ફંડ પેન્શન મકાનની લોન પર વ્યાજ વગેરેમાં રોકાણ પર કાપના લાભથી વર્ષના 9 થી 9.5 લાખ રૂપિયા સુધીની આવક વાળા ટેક્સ મુક્ત હોઇ શકે છે. ગોયલે કહ્યું કે સામાન્ય ચૂંટણી બાદ બનનારી નવી સરકાર જુલાઇમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. પૂર્ણ બજેટમાં નાણાકીય બિલમાં 2019 20 માટે ટેક્સ પ્રક્સાવ લાવવામાં આવશે.