IPLની ફાઇનલ મેચને આજે રમાવવામાં આવશે પણ આ બધા વચ્ચે સવાલ એ જ છે કે જે લોકોએ 28 મેની ટિકિટ ખરીદી હતી, શું તેમની ટિકિટ રિઝર્વ ડે પર પણ માન્ય રહેશે?
IPLની ફાઇનલ મેચને આજે રમાવવામાં આવશે
28 મેની ટિકિટ ખરીદી હતી એમને આજે એન્ટ્રી મળશે?
ગઇકાલની મેચ ટિકિટ રિઝર્વ ડે પર પણ માન્ય રહેશે?
IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી પણ વરસાદને કારણે મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. એવામાં હવે આ ફાઇનલ મેચને રિઝર્વ ડે 29 મે એટલે કે આજે રમાવવામાં આવશે.
એવામાં હવે આજે વરસાદ આવે, તોફાન આવે કે ગમે તે થાય, પણ ચેમ્પિયન મળી જશે. ફાઈનલ મેચનો આનંદ માણવા આવેલા તમામ ચાહકો 28 મે, રવિવારના રોજ નિરાશ થયા હતા પણ હવે આ બધા વચ્ચે સવાલ એ જ છે કે જે લોકોએ 28 મેની ટિકિટ ખરીદી હતી, શું તેમની ટિકિટ રિઝર્વ ડે પર પણ માન્ય રહેશે?
આજે સોમવાર, મે 29 ના રોજ આ મેચ નવેસરથી કરાવવાની યોજના છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ 28 મે સુધી મુલતવી રાખવામાં આવ્યા બાદ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચેલા તમામ દર્શકો માટે IPL દ્વારા વિશેષ માહિતી જાહેર કરી હતી. જેમાં રવિવારે મેચ જોવા માટે ખરીદેલી ટિકિટો વિશે માહિતી શેર કરવામાં આવી હતી કે તમામ ટિકિટો રિઝર્વ ડે માટે પણ માન્ય રહેશે. તમામ ચાહકો જેમની પાસે ટિકિટ છે તે બતાવીને સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ શકે છે.
જો કે આ શેર કરેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે ફિઝિકલ ટિકિટ હશે તો જ તમને એન્ટ્રી મળી શકે છે. આ સાથે જ ડિજિટલ કે ફાટેલ ટિકિટ પર એન્ટ્રી મળી શકશે નહીં.