દેશમાં કોરોના જેવો ખતરનાક H3N2 વાયરસ વકરી રહ્યો છે અને યુપી, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.
દેશમાં કોરોના જેવો ખતરનાક H3N2 વાયરસ વકર્યો
યુપી, કર્ણાટક સહિતના રાજ્યોમાં વધવા લાગ્યા કેસો
ગંભીર બીમારીવાળા લોકોને ભીડભાડવાળા સ્થળોએ ન જવાની ચેતવણી
ઈન્ફ્લુએન્ઝા (H3N2 વાયરસ) દેશના કેટલાક રાજ્યોમાં વિનાશ વેરી રહ્યો છે. યુપીના કાનપુર, લખનઉ સહિતના શહેરોમાં તો કર્ણાટકના કેટલાક શહેરોમાં આ વાયરસના કેસો વધી રહ્યાં છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ અને દિલ્હી-એનસીઆરમાં પણ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારોએ પણ આ વાયરસ સામે લડવા પોતપોતાની રીતે તૈયારીઓ કરી રાખી છે.
People with chronic diseases should avoid going to crowded places for safe Holi: Experts
H3N2 કયા લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચાર પ્રકારના હોય છે - એ, બી, સી અને ડી. તેમાંય મોસમી ફ્લૂ પ્રકાર A અને B દ્વારા ફેલાય છે. જો કે, ઈન્ફલ્યુએન્ઝા એ પ્રકાર રોગચાળાનું કારણ માનવામાં આવે છે. ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર A ના બે પેટાપ્રકાર હોય છે. એક છે H3N2 અને બીજું H1N1. તે જ સમયે, ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી ને પેટાપ્રકારો હોતા નથી, પરંતુ તેમાં રેખાઓ હોઈ શકે છે. ટાઇપ સીને ખૂબ જ હળવા માનવામાં આવે છે અને તે જોખમી નથી. જ્યારે, ટાઇપ ડી પશુઓમાં ફેલાય છે. આઈસીએમઆરના જણાવ્યા અનુસાર, થોડા મહિનામાં કોવિડના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ એચ 3 એન 2 ના કેસમાં વધારો થયો છે. સર્વેલન્સ ડેટા બતાવે છે કે 15 ડિસેમ્બરથી એચ 3 એન 2 ના કેસોમાં વધારો થયો છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ લાગવાથી તાવ, ઉધરસ (સામાન્ય રીતે સૂકી), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો અને નાક વહેવા જેવા લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકોને એક અઠવાડિયામાં તાવ સારો થઈ જાય છે, પરંતુ ખાંસીને ઠીક થવામાં બે કે તેથી વધુ અઠવાડિયા લાગે છે.
So currently we're seeing an increase in cases of influenza presenting fever, sore throat cough, body aches & runny nose history: Dr Randeep Guleria, Chairman, Institute of Internal Medicine, Respiratory & Sleep Medicine, Director-Medical Education, Medanta on Influenza Virus pic.twitter.com/ZTcWy0gZ0R
H3N2થી બચવા લોકોએ શું કરવું જોઈએ
આઈસીએમઆરએ H3N2થી બચવા માટે લોકોને કેટલીક ખાસ સલાહ આપી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સાબુથી નિયમિતપણે હાથ ધોવે, ફેસ માસ્ક પહેરે અને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળે. આઇસીએમઆરએ તાવ અને શરીરમાં દુખાવાની સ્થિતિમાં પેરાસિટામોલની સલાહ આપી છે. આ ઉપરાંત તેમને હાથ મિલાવવાથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે. આઈસીએમઆરએ કહ્યું છે કે એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓ ડોક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ.
So currently we're seeing an increase in cases of influenza presenting fever, sore throat cough, body aches & runny nose history: Dr Randeep Guleria, Chairman, Institute of Internal Medicine, Respiratory & Sleep Medicine, Director-Medical Education, Medanta on Influenza Virus pic.twitter.com/ZTcWy0gZ0R
ગંભીર બીમારીથી પીડિત લોકો ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે-ગુલેરિયા
એઇમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયા એ દેશમાં ફેલાતા H3N2 ઇનફલ્યુંએન્ઝા વિશે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.આ વાયરસ કોરોનાની જેમ જ ફેલાઈ રહ્યો છે અને તેનાથી બચવા માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને વારંવાર હાથ ધોવા સહિતની સાવચેતી રાખવી જરૂરી બની છે. જેમાં પણ આ વાયરસ વૃદ્ધો અને પહેલેથી જ કોઈ પણ રોગથી પીડાતા લોકો માટે વધુ પરેશાની પેદા કરી શકે છે. જેને લઈને લોકોને ભ્રમમા ન રહેવા જણાવ્યું છે.