કોરોના સંક્રમણથી ઠીક થયેલ લોકો ડાયાબિટીસની ચપેટમાં વધુ આવે છે. જે લોકોને હળવા કોરોનાના લક્ષણો હતાં એમને ખતરો ઓછો છે.
કોરોનાથી સાજા થયેલ લોકો ડાયાબિટીસનો શિકાર વધુ બની રહ્યા છે
જેનામાં હળવા કોરોનાના લક્ષણો હતાં એમને ખતરો ઓછો છે.
કોરોનાથી સંક્રમિત થયા પછી લોકોમાં બીમારીઓ વધુ જોવા મળી રહી છે. કોરોનાની ચપેટમાંથી છૂટયા પછી અનેક સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. સાથે જ કોરોના સંક્રમણ પછી ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થયો છે. શું કોરોના ડાયાબિટીસનું કારણ બની શકે છે? શું કહે છે સ્ટડી ચાલો જાણીએ.
દુનિયાભરમાં કરોડો લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને અનેક લોકોએ એમનું જીવન ગુમાવ્યું છે. જો કે ઘણા લોકો કોરોનને માત આપીને બહાર આવી ગયા છે પણ હાલ અનેક બીમારીનો શિકાર બની રહ્યા છે. જો કે હાલની એક સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે કોરોનાથી સાજા થયેલ લોકો ડાયાબિટીસનો શિકાર વધુ બની રહ્યા છે. હાવર્ડ મેડિકલ સ્કૂલના રિપોર્ટ અનુસાર એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણથી ઠીક થયેલ લોકો ડાયાબિટીસની ચપેટમાં વધુ આવે છે. જે લોકો કોરોના સંક્રમિત થયા હતા અને તેનામાં હળવા કોરોનાના લક્ષણો હતાં એમને ખતરો ઓછો છે.
સાથે જ સ્ટડીમાં થોડા લક્ષણો પણ બહાર આવ્યા છે. કોરોના સંક્રમણથી ઠીક થઈ ગયેલ લોકોને વારંવાર પેશાબ આવતું હોય, તરસ લગતી હોય અને વધુ થાક લાગતો હોય આવા લક્ષણો દેખાય તો તુરંત ચેતી જવું જોઈએ. આ ડાયાબિટીસના લક્ષણો હોય શકે છે. આવ્યા લક્ષણો દેખાવવા પર તુરંત ડૉક્ટર પાસે જઈને ચેક અપ કરાવવું જોઈએ.
આવી રીતે કરો બચાવ
દરરોજ કસરત કરો
વધુને વધુ પાણી પીઓ
વજન કંટ્રોલ કરો
સ્મોકીંગ જેવુ વ્યસન તુરંત છોડી દો
થોડું થોડું કરીને ખાઓ
શારીરિક કામ કરો
ફાઈબરયુક્ત પદાર્થ ખાઓ
વિટામિન ડીની માત્રામાં વધારો કરો